1. Home
  2. revoinews
  3. જીસી મુર્મૂના રાજીનામાનો સ્વીકાર- જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ તરીકે ‘મનોજ સિન્હા’ની વરણી
જીસી મુર્મૂના રાજીનામાનો સ્વીકાર- જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ તરીકે ‘મનોજ સિન્હા’ની વરણી

જીસી મુર્મૂના રાજીનામાનો સ્વીકાર- જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ તરીકે ‘મનોજ સિન્હા’ની વરણી

0
Social Share
  • જીસી મૂ્રમએ ગઈ કાલે આપ્યુ હતુ રાજીનામું
  • ઉપરાજ્યપાલ તરીકે મનોજ સિન્હાની પસંદગી
  • આ પહેલા કેન્દ્રમા સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિન્હા હવે જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ બનશે,વિતેલા દિવસ બધવારની સાંજે ગિરિશ ચંદ્ર મુર્મૂએ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપ્યું હતુ, હવે આજ રોજ સવારે રાષ્ટ્રપતિ ભવન તરફથી મનોજ સિન્હાની પસંદગીનુ એલાન કરવામાં આવ્યું છે,ગાજીપુરના સાંસદ રહી ચૂકેલા મનોજ સિન્હા આ પહેલા કેન્દ્ર સરકારનામ મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે,તે સાથે જ તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનવાની હોડમાં પણ સૌથી આગવુ સ્થાન ધરાવતા હતા.

ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને અસરહીન કરવામાં આવી હતી, ત્યારે વિતેલી કાલે આ ઘટનાને એક વર્ષ પુરુ થયું છે, આ સમગ્ર બાબત વચ્ચે ગઈકાલે સાંજે જીસી મુર્મૂના રાજીનામાના સમાચાર બહાર આવ્યા હતા. મુર્મૂનું આ રાજીનામાનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કરી લીધો છે, ઉલ્લેખનીય છે કે, ગિરીશ ચંદ્ર મુર્મુ ઓડીશા ગુજરાત કૅડરના વર્ષ 1985ની બૅચના આઈએએસ અધિકારી રહી ચૂક્યા હતા, તે સાથે જ નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મુર્મુ પ્રદેશના મુખ્ય સચિવ પણ હતા.

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ જીસી મુર્મૂનું રાજીનામું-આજે આવી શકે છે દિલ્હી

જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલની જવાદબારી હવે મનોજ સિન્હાને સોંપવામાં આવી છે,ત્યારે હવે ફરીએક વાર જમ્મુ-કાશ્મીરના ઉચ્ચહોદ્દા પર રાજનીતિની એન્ટ્રી થઈ છે,જ્યારે જમ્મુ-કાશ્મીર પૂર્ણ રાજ્ય હતું તે સમય દરમિયાન સત્યપાલ મલિક અહીના રાજ્યપાલ હતા,પરંતુ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો ત્યારે અધિકારી જીસી મુર્મૂને આ સ્થાન પર મોકલમાં આવ્યા ,ઉલ્લેખનીય છે કે જીસી મુર્મૂની ગણતરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ અધિકારીઓમાં કરવામાં આવતી હોય છે.

જાણો કોણ છે મનોજ સિન્હા

  • મનોજ સિન્હા પૂર્વમાં ગાજીપુરથી સાસંદ રહી ચૂક્યા છે
  • પૂર્વ યૂપીમાં બીજેપી પાર્ટીનો મોટો ચહેરો છે
  • તેઓ વર્ષ 2019ની ચૂંટણીમાં પરાજય થયા હતા
  • તેમનો પરાજય રાજકિય ક્ષેત્રે મોટો ફટકો હતો
  • મોદી સરકારના કાર્યલયમાં તેઓ પહેલા મંત્રી પદે હતા
  • તેઓ રેલ્વે મંત્રી અને સંચાર મંત્રીનો પદભાર સંભાળતા હતા

 

સાહીન

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code