1. Home
  2. revoinews
  3. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ સહીતના નેતા કોરોના પોઝિટિવ – ટ્વિટ કરીને આપી જાણકારી
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ સહીતના નેતા કોરોના પોઝિટિવ – ટ્વિટ કરીને આપી જાણકારી

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ સહીતના નેતા કોરોના પોઝિટિવ – ટ્વિટ કરીને આપી જાણકારી

0
Social Share
  • પ્રહલાદ સિંહ પટેલ કોરોના ગ્રસ્ત થયા
  • વિતેલા વિદસે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ કોરોના પોઝિટિવ આવ્યા
  • કોરોનાની ઝપેટમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ
  • ટ્વિટ કરીને આ નેતાઓ એ આપી જાણકારી

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, કેન્દ્રીય મંત્રીએ આ અંગે તેમના ટ્વિટર હેન્ડલથી આ માહિતી આપી છે. પ્રહલાદસિંહ પટેલે ટ્વિટ કરીને લખ્યું છે કે, વિતેલી રાત્રે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જે લોકો મને મંગળવારના દિવસે મળ્યા હતા તેઓએ વાસધાન રહેવું જોઈએ.

આ પહેલા પણ કેન્દ્ર સરકારના ઘણા મંત્રીનો કોરોનાથી ઝપેટમાં આવી ચૂક્યા છે. ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન, અર્જુનરામ મેઘવાલ, ગજેન્દ્રસિંહ શેખાવત પણ કોરોનાની ધપેટમામં આવી ચૂક્યા છે. જોકે ગૃહ મંત્રી અમિત શાહ કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે પરંતુ તે પછીની તેમની સારવાર ચાલુ છે

માર્ગ પરિવગન મંત્રી નીતિન ગડકરી પણ કોરોના પોઝિટિવ

આ પહેલા પણ કેન્દ્ર સરકારનાકેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતીન ગડકરી બુધવારના રોજ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, નીતિન ગેડરકીએ કહ્યું કે તેમનો કોરોના રિપોર્ટ પોઢિટિવ આવ્યો છે અને તેણે પોતાને આઈસોલેટ કર્યા છે. ગડકરીએ ટ્વિટ કર્યું હતું કે તેમને ખુહ જ વિકનેસ હતી જેને લઈને તેમણે ડોક્ટરનો સંપર્ક કર્યો હતો, જો કે હવે તેમની તબિયત સ્વસ્થ જોવા મળી રહી છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code