1. Home
  2. revoinews
  3. રામ મંદિરના નિર્માણમાં ગુજરાતની પવિત્ર માટીનો પણ થશે ઉપયોગ
રામ મંદિરના નિર્માણમાં ગુજરાતની પવિત્ર માટીનો પણ થશે ઉપયોગ

રામ મંદિરના નિર્માણમાં ગુજરાતની પવિત્ર માટીનો પણ થશે ઉપયોગ

0

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ ઉપર ભવ્યા મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આગામી તા. 5મી ઓગસ્ટના રોજ રામમંદિરના નિર્માણનું ભૂમિપૂજન થશે. રામમંદિરના નિર્માણમાં ગુજરાતની પવિત્ર માટીનો પણ ઉપયોગ કરવામાં આવશે. ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર રાજ્યમાંથી વિવિધ મંદિરોની પવિત્ર માટી અને જળ એકત્ર કરવામાં આવ્યું છે. રાજ્યના 912 પવિત્ર સ્થળોની માટી અને જળને અયોધ્યા મોકલવામાં આવશે.

દેશવાસીઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા અયોધ્યામાં રામમંદિરના નિર્માણનું કાર્ય આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. રામમંદિરના નિર્માણમાં દેશભરના પવિત્ર ધાર્મિક સ્થળો અને જળનો ઉપયોગ કરવામાં આવશે. જેથી ગુજરાતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ ધાર્મિક સ્થળો પરથી પવિત્ર માટી અને જળ એકત્ર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી લગભગ 912 પવિત્ર સ્થળ પરથી માટી અને જળ એકત્ર કરવામાં આવ્યું છે. તેમજ આ જળ અને માટીને અયોધ્યા લઈ જવામાં આવશે. તેમજ ભક્તોને તા. 5મી ઓગસ્ટના રોજ સાંજે ઘરે દીપપ્રાગટય કરી અને ભવ્ય રામમંદિરના નિર્માણના ભૂમિપૂજનની ઉજવણી કરવા માટે સંતો અને મહંતોએ અપીલ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code