1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 80.73 ટકા ઉપર પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 80.73 ટકા ઉપર પહોંચ્યો

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો ઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 97 હજારને પાર પહોંચ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે, રાજ્યમાં કોરોનાને મ્હાત આપીને દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં  78913 દર્દીઓ સાજા થયાં છે. આમ રાજ્યનો રિકવરી રેટ વધીને 80.73 ટકા થયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધુ તેજ કરવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં દરરોજ સરેરાશ 70 હજારથી વધારે ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 24 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં ટેસ્ટીંગ વધારવામાં આવતા પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 97745 થયો છે. કોરોના મહામારીમાં 3 હજારથી વધારે લોકોના મોત થયાં છે. જ્યારે હાલ 15796 દર્દીઓ એક્ટિવ છે. બીજી તરફ રાજ્યભરમાં હાલ 5.50 લાખથી વધારે લોકો ક્વોરન્ટીન છે.

રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધવાની સામે દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યાં છે. 24 કલાકમાં નવા 1310 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જેની સામે 1131 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા.  રાજ્યમાં અત્યાર સુધીમાં 78913 દર્દીઓ સાજા થયાં છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code