1. Home
  2. Revoi

Revoi

મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડની યુનિફોર્મ સિવિલ કોડ મામલે હાઈકોર્ટમાં અરજી

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે સમાન નાગરીક સંહિતાને લઈને દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરી છે. અરજીમાં સમાન નાગરીક સંહિતાને લાગુ કરવાની માગણી કરનારી જાહેરહિતની અરજીમાં પાર્ટી સ્વરૂપે સામેલ કરવાની માગણી કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટમાં આ મામલો 27મી ઓગસ્ટે સુનાવણી માટે યાદીબદ્ધ  છે.

નીતિ પંચના ઉપાધ્યક્ષની સ્પષ્ટતા, ખોટી રીતે દર્શાવવામાં આવ્યું મારું નિવેદન

નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે હવે પોતાના નિવેદન પર સ્પષ્ટીકરણ આપ્યું છે. રાજીવ કુમારે સ્પષ્ટતા કરતા ટ્વિટ કર્યું છે કે હું મીડિયાને આગ્રહ કરું છું કે મારા નિવેદનને ખોટી રીતે દર્શાવવાનું બંધ કરે. અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે સરકાર કડક પગલા ઉઠાવી રહી છે અને આમ આગળ પણ કરતી રહેશે. કોઈપણ પ્રકારના ગભરાટ અથવા ગભરાટનો માહોલ […]

ચિટફંડ ગોટાળો : ડૉ. રમન સિંહના પુત્ર અભિષેક અને પૂર્વ મેયર વિરુદ્ધ FIR નોંધાઈ

ભાજપના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ડૉ. રમન સિંહના પુત્ર અભિષેક સિંહની મુશ્કેલી વધવાની સંભાવના છે. અભિષેક સિંહની વિરુદ્ધ ચિટફંડ ગોટાળાના મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે. રમનસિંહના પુત્ર અભિષેક સિંહની સાથે જ ભૂતપૂર્વ મેયર મધુસૂદન યાદવની વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ કરવામા આવી છે. ભાજપના ભૂતપૂર્વ સાંસદ અભિષેક સિંહ અને રાજનંદગાંવ નગરનિગમના ભૂતપૂર્વ મેયર મધુસૂદન […]

ફ્રાંસ ભારતની ઓઝલ રહેલી મજબૂત દોસ્તી, ડિફેન્સ ડીલથી યુએન મંચ સુધી ભરોસાપાત્ર સાથીદાર

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને નિષ્પ્રભાવી બનાવાયા બાદ પાકિસ્તાન સતત આ મુદ્દા પર ભારતને ઘેરવાની કોશિશમાં છે. પરંતુ તેને કોઈ નક્કર કામિયાબી મળતી દેખાઈ રહી નથી. અમેરિકા અને ફ્રાંસ સહીત ઘણાં મોટા દેશોએ પાકિસ્તાનની કોશિશોને મોટો આંચકો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ફ્રાંસની મુલાકાતે છે અને ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેનુએલ મેક્રોંએ આ મુદ્દા પર ભારતનું પુરજોર સમર્થન કર્યું […]

જમ્મુ-કાશ્મીર પર મંગળવારે ગૃહ મંત્રાલયની બેઠક, કેન્દ્ર સરકારના સચિવ થશે સામેલ

જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલય મંગળવારે એક ઉચ્ચસ્તરીય બેઠક કરશે. આ બેઠકમાં કેન્દ્ર સરકારના સચિવ સામેલ થશે અને તેની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ સચિવ કરશે. ગૃહ મંત્રાલયના સૂત્રો પ્રમાણે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય 27 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર એક ઉચ્ચસ્તરીય બેઠક આયોજીત કરશે. આ બેઠકમાં ભારત સરકારના સચિવ ભાગ લેશે. તેની સાથે જ આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય […]

પતંજલિના CEO આચાર્ય બાલકૃષ્ણની તબિયત ખરાબ, એમ્સ ઋષિકેશમાં ભરતી

પતંજલિ આયુર્વેદના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણની તબિયત ખરાબ થઈ હોવાના અહેવાલ છે. તેમને ઋષિકેશ ખાતેની એમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. જો કે આ મામલામાં પતંજલિ યોગપીઠ પ્રબંધન આના સંદર્ભે કંઈપણ કહેવાથી બચી રહ્યું છે. પતંજલિ યોગપીઠના મહામંત્રી અને યોગગુરુ બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણની તબિયત બગડવા પર આજે તેમને હરિદ્વારની પતંજલિ યોગપીઠ ખાતેની ઓફિસમાંથી ઋષિકેશની એમ્સ […]

દેશની નિરસ અર્થવ્યવસ્થા પર નાણામંત્રીનું નિવેદનઃ “વૈશ્વિક મંદીને સમજવાની જરુર છે”

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થાને લઈને પ્રેસ કોન્ફોરન્સ યોજી હતી,તેમણે કહ્યું હતું કે વિશ્વની તુલનામાં ભારતની અર્થવ્યવસ્થા ખુબ સારી પરિસ્થિતીમાં છે, બાકીના દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા છે,નાણામંત્રીએ વધુમાં કહ્યું હતુ કે આપણે વૈશ્વિક મંદીને સમજવાની જરુર છે,ચીન-અમેરીકા ટ્રેડ વૉરથી મંદીનો ખતરો વધી ગયો છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે  કહ્યું કે, એવું […]

ગુજરાત યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓને આદેશઃ’ભૂલ’ કરશો તો ‘વૃક્ષો’ રોપવા પડશે

ગુજરાત યૂનિવર્સિટીના પ્રશાસનની અનોખી પહેલ,ભૂલ કરવા પર વિદ્યાર્થીઓને વૃક્ષો વાવવાની સજા મળશે.હાઆ વાત તદ્દન સાચી છે,પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને શાળાઓ અને કોલેજોમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. આ વાતને ધ્યાનમાં લઈને ઘણી શાળાઓ અને કોલેજો એ પહેલ કરી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને સજા તરીકે વૃક્ષોના રોપાઓ રોપવાની પહેલ […]

પાકિસ્તાનથી પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પાકિસ્તાનથી કોઈએ વ્હોટ્સએપ પર પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ચાંદની ચોક ખાતે ભાજપના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રાજન ધીમાનને ફોન પર પાકિસ્તાનથી કોઈએ કોલ અને મેસેજ કરીને ધમકી આપી છે. સરાયા રોહિલ્લા પોલીસે એફઆઈઆર દાખલ કરી લીધી છે. ધમકી આપનારે મેસેજમાં લખ્યું છે […]

સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાકના કાયદા પર કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી

મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન સંસદના પહેલા સત્રમાં પસાર કરાયેલ ત્રિપલ તલાક કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમુદાયમાં ટ્રિપલ તલાકને શિક્ષાપાત્ર ગુનો બનાવવાના કાયદાની માન્યતાને પડકારતી અરજીઓ પર વિચાર કરવા સંમતિ આપી છે. આ કાયદાના વિરુદ્વમાં ત્રણ અલગ અલગ રજીઓ દાખલ થઈ છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code