1. Home
  2. revoinews
  3. જમ્મુ-કાશ્મીર પર મંગળવારે ગૃહ મંત્રાલયની બેઠક, કેન્દ્ર સરકારના સચિવ થશે સામેલ
જમ્મુ-કાશ્મીર પર મંગળવારે ગૃહ મંત્રાલયની બેઠક, કેન્દ્ર સરકારના સચિવ થશે સામેલ

જમ્મુ-કાશ્મીર પર મંગળવારે ગૃહ મંત્રાલયની બેઠક, કેન્દ્ર સરકારના સચિવ થશે સામેલ

0
Social Share

જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલય મંગળવારે એક ઉચ્ચસ્તરીય બેઠક કરશે. આ બેઠકમાં કેન્દ્ર સરકારના સચિવ સામેલ થશે અને તેની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ સચિવ કરશે.

ગૃહ મંત્રાલયના સૂત્રો પ્રમાણે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય 27 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર એક ઉચ્ચસ્તરીય બેઠક આયોજીત કરશે. આ બેઠકમાં ભારત સરકારના સચિવ ભાગ લેશે. તેની સાથે જ આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ સચિવ કરશે. સૂત્રો પ્રમાણે બેઠકમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ પર ચર્ચા થશે, તેમા અધિક સચિવ (જમ્મુ-કાશ્મીર) પણ સામેલ થશે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવી દીધી હતી. તેની સાથે જ જમ્મુ-કાશ્મીરનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. તેના પ્રમાણે જમ્મુ-કાશ્મીરને જમ્મુ-કાશ્મીર અને લડાખ તરીકે બે નવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું હતું.

તો જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાન ખળભળી ઉઠયું છે. જો કે ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટપણે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા બંધારણના અનુચ્છેદ-370ને સમાપ્ત કરવો એક આંતરીક મામલો હતો અને તેની સાથે જ પાકિસ્તાનને વાસ્તવિકતા સ્વીકાર કરવાની પણ સલાહ આપી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code