1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં પરત ફરી રહેલા શ્રમિકોના આરોગ્યની જવાબદારી સંસ્થા-કારખાનના સંચાલકોની !
ગુજરાતમાં પરત ફરી રહેલા શ્રમિકોના આરોગ્યની જવાબદારી સંસ્થા-કારખાનના સંચાલકોની !

ગુજરાતમાં પરત ફરી રહેલા શ્રમિકોના આરોગ્યની જવાબદારી સંસ્થા-કારખાનના સંચાલકોની !

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે અનલોકમાં વેપાર-ધંધા ફરીથી ધમધમતા થયાં છે. તેમજ કોરોનાકાળમાં વતન ગયેલા શ્રમજીવીઓ પરત આવી રહ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તેને લઈને સરકાર પણ ચિંતામાં છે. દરમિયાન શ્રમિકોના કોરોના ટેસ્ટ અને આરોગ્યની જાળવણીની જવાબદારી જે તે સંસ્થા અને એકમની રહેશે. તેવા નિર્દેશ જિલ્લા કલેકટરો દ્વારા કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં જો શ્રમિક કોરોના સંક્રમિત હશે તે અંગેની જાણ નહીં કરનાર એકમ-કારખાના સામે કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતમાં ઉધોગ–ધંધામાં ફરી ધમધમાટ શરૂ થતા વતન ગયેલા શ્રમિકો પરત ફરી રહ્યાં છે.  કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે રાજ્ય સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે. આ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. તેમજ વિવિધ સંસ્થા, એકમો અને કારખાનાઓના માલિકોની જવાબદારીઓ પણ વધી છે. સરકારના જાહેરનામા અનુસાર નોકરીદાતાઓએ ફેકટરી, દુકાન કે સંસ્થામાં પરત ફરતા શ્રમિકોનું કોરોના પરિક્ષણ કરાવી તેનો ખર્ચ માલિકોએ ભોગવવાનો રહેશે. કોઇ શ્રમિકને કોરોનાના લક્ષણો જણાય તો તેને ફરજિયાત કવોરન્ટાઇન કરવાનો રહેશે. કવોરન્ટાઇન કરાયેલા કામદારોનું હેલ્થ સ્ક્રીનીંગ કરાવી એન્ટીજન ટેસ્ટ કરી નિયત રેકર્ડ રાખવું પડશે. તેમજ જિલ્લા વહીવટી તંત્રને માહિતી પૂરી પાડવાની રહેશે.

આ ઉપરાંત તમામ કામદારોના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવવાની રહેશે. ફેકટરી અને સંસ્થામાં વિવિધ સ્થળોએ પૂરતા પ્રમાણમાં સેનિટાઇઝર અને સાબુની વ્યવસ્થા કરવાની રહેશે. જો બે પાળીમાં કાર્ય ચાલતું હોય તો કામદારોને દરેક પાળી પહેલા સ્ક્રીનીંગ કરવાનું રહેશે અને તેમનો રેકોર્ડ રાખવાનો રહેશે. ફેકટરી કે સંસ્થાના પરિસરમાં તમામ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવાનું રહેશે. જે ફેકટરી કે સંસ્થામાં કેન્ટીન હોય ત્યાં કેન્ટિન સ્ટાફના સ્ક્રીનીંગ અંગે ખાસ ધ્યાન આપવાનું રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code