1. Home
  2. revoinews
  3. શ્રીદેવી પછી હવે આ એક્ટ્રેસ લેશે ‘નાગિન’ અવતાર
શ્રીદેવી પછી હવે આ એક્ટ્રેસ લેશે ‘નાગિન’ અવતાર

શ્રીદેવી પછી હવે આ એક્ટ્રેસ લેશે ‘નાગિન’ અવતાર

0
Social Share
  • શ્રીદેવી પછી હવે શ્રદ્ધા કપૂર લેશે ‘નાગિન’ અવતાર
  • ફિલ્મ માટે શ્રદ્ધા કપૂર ખુબ જ ઉત્સાહિત
  • ફિલ્મને સ્પેશિયલ ઈફેક્ટસ સાથે ત્રણ ભાગમાં બનાવશે

મુંબઈ: તમે બોલીવુડની મશહૂર અભિનેત્રી શ્રદ્ધા કપૂરને જલ્દી જ નવા પડદા પર એક નવા અવતારમાં જોવા જઇ રહ્યા છો. અહેવાલ છે કે, શ્રદ્ધા હવે શ્રીદેવીની જેમ એક ‘નાગિન’ ની ભૂમિકા નિભાવવા જઇ રહી છે. બોલિવૂડ ફિલ્મમેકર નિખિલ દ્વિવેદી લોકો માટે ‘નાગિન’ પર આધારિત ફિલ્મ લાવી રહ્યા છે, જે ત્રણ ભાગમાં બનાવવામાં આવશે. એક સમાચાર મુજબ શ્રદ્ધાએ આ ફિલ્મોને સાઇન કરી છે. આ ફિલ્મ માટે શ્રદ્ધા ખૂબ જ ઉત્સાહિત છે અને તેણે કહ્યું કે, તેણે ફિલ્મ ‘નાગિન’ માં શ્રીદેવીનું પાત્ર જોયું છે, જેને તે શરૂઆતથી જ ભજવવા માંગતી હતી.

આ ફિલ્મ માટે શ્રદ્ધા કપૂર ખૂબ જ ઉત્સાહિત છે

આ પહેલા મોટા પડદે શ્રીદેવી સિવાય રેખા અને રીના રોય જેવી બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ ‘નાગિન’ ની ભૂમિકા નિભાવી ચૂકી છે. એવામાં, શ્રદ્ધા માટે આ એક મોટી તક છે. જોકે, વર્ષ 2018ની શરૂઆતમાં તેની ફિલ્મ ‘સ્ત્રી’માં તેનું પાત્ર પણ એકદમ અલગ હતું, જેને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી અને આ સમાચાર આવતાની સાથે જ લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો તે કહેવું ખોટું નહીં લાગે કે, ટૂંક સમયમાં શ્રદ્ધા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર છે. પરંતુ હજી સુધી ફિલ્મનું ટાઇટલ રાખવામાં આવ્યું નથી.

કેટલીક સ્પેશિયલ ઈફેકટસ સાથે જોવા મળશે

આ અંગે વાત કરતાં શ્રદ્ધા કહે છે કે, સ્ક્રીન પર ‘નાગિન’ નું પાત્ર ભજવવું એ પરમ ખુશી છે અને તે ફિલ્મ ‘નગીના’ અને ‘નિગાહે’ માટે શ્રીદેવીની પ્રશંસા સાંભળીને મોટી થઈ છે. રીપોર્ટસ મુજબ, નિખિલ દ્વિવેદી દ્વારા નિર્માણ પામેલી આ ફિલ્મ મૂળભૂત રીતે એક પ્રેમ કથા હશે, જેને સ્પેશિયલ ઈફેક્ટસ સાથે ત્રણ ભાગમાં બનાવવામાં આવશે.

_Devanshi

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code