hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ભારતમાં મુહર્રમમાં તાજિયાદારીની શરૂઆત તૈમૂર લંગે કરી હતી, જાણો શિયા-સુન્નીમાં શું છે મતભેદ?
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ભારતમાં મુહર્રમમાં તાજિયાદારીની શરૂઆત તૈમૂર લંગે કરી હતી, જાણો શિયા-સુન્નીમાં શું છે મતભેદ?
revoinews

ભારતમાં મુહર્રમમાં તાજિયાદારીની શરૂઆત તૈમૂર લંગે કરી હતી, જાણો શિયા-સુન્નીમાં શું છે મતભેદ?

Revoi
Last updated: September 9, 2019 1:36 pm
Revoi
Published: September 9, 2019
Share
SHARE
  • મુહર્રમમાં ઈમામ હુસૈનની શહાદતના ગમમાં મનાવાય છે માતમ
  • શિયા પંથી તૈમૂર લંગે ભારતમાં તાજિયાની શરૂઆત કરાવી
  • શિયા-સુન્નીમાં તાજિયાદારીને લઈને છે મતભેદ

મુહર્રમ મુસ્લિમોનો કોઈ તહેવાર નથી, પરંતુ માત્ર ઈસ્લામિક હિજરી સનનો પહેલો મહીનો છે. આખી દુનિયાના મુસ્લિમો મુહર્રમની નવમી અને દશમી તારીખે રોજા રાખે છે અને મસ્જિદો-ઘરોમાં ઈબાદત કરે છે. મુહર્રમના મહીનામાં ઈમામ હુસૈનની શહાદતના ગમમાં લોકો માતમ મનાવે છે. જો વાત કરીએ તાજિયાની તો આ પરંપરા ભારતમાંથી જ શરૂ થઈ હતી.

ભારતમાં તાજિયાની શરૂઆત તૈમૂર લંગે કરી હતી. તૈમૂર લંગ તુર્કી આક્રમણખોર હતો અને વિશ્વવિજય કરવું તેનું સપનું હતું. ઈરાન, અફઘાનિસ્તાન, ઈજીપ્ત અને રશિયાના કેટલાક વિસ્તારોને જીતીને તૈમૂર 1398માં ભારત પહોંચ્યો હતો. તેણે દિલ્હીને પોતાનું ઠેકાણું ગણાવ્યું ને અહીં તેણે ખુદને સમ્રાટ જાહેર કર્યો હતો. દિલ્હી અને ભારતમાં આક્રમણમાં તૈમૂર લંગે હજારો ભારતીયોની કત્લેઆમ કરી હતી. તૈમૂર લંગ શિયા સંપ્રદાયમાંથી આવતો હતો.

તૈમૂર લંગે મુહર્રમના મહીનામાં ઈમામ હુસૈનની યાદમાં દરગાહ જેવો એક ઢાંચો બનાવ્યો અને તેને વિવિધ ફૂલોથી સજાવ્યો હતો. તેને જ તાજિયાનું નામ આપવામાં આવ્યું હતું. બાદમાં ખ્વાજા મુઈનુદ્દીન ચિશ્તી જ્યારે ભારત આવ્યા, ત્યારે તેમણે અજમેરમાં એક ઈમામવાડો બનાવ્યો અને તેમા તાજિયા રાખવાની એક જગ્યા પણ બનાવી હતી. તૈમૂર લંગના સમયમાં ભારતમાં દિલ્હીથી શરૂ કરીને બાદમાં આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરીકે ઓળખાતા દેશોના વિસ્તારોમાં રહેતા શિયા મુસ્લિમોમાં પણ તાજિયા બનાવવાની શરૂઆત થઈ હતી. મુહર્રમનો ચાંદ નીકળવાની પહેલી તારીખથી તાજિયા રાખવાનો સિલસિલો શરૂ થાય છે, જેને 10 મુહર્રમે દફ્ન કરવામાં આવે છે.

તાજિયાદારીને લઈને શિયા અને સુન્ની સંપ્રદાયમાં મતભેદ છે. સુન્ની સમુદાયમાં તાજિયાદારીનો નિષેધ ગણાવવામાં આવ્યો છે. સુન્ની લોકો તાજિયાદારીને ઈસ્લામનો હિસ્સો માનતા નથી. જો કે દેશના ઘણાં રાજ્યોમાં સુન્ની સમુદાયનો એક મોટો વર્ગ તાજિયાદારી કરે છે. તેની સાથે જ આ લોકો ઈમામ હુસૈનના ગમમાં શરબત વહેંચે છે, ભોજન ખવડાવે છે અને લોકોને મદદ કરવાનું જાયજ માને છે. સુન્ની સમુદાય પ્રમાણે, ઈસ્લામમાં માત્ર મુહર્રમની 9મી અને 10મી તારીખે રોજા રાખવાનો હુક્મ છે. પરંતુ તેનો સંબંધ હઝરત ઈમામ હુસૈનની શહાદત સાથે નથી. જો કે શિયા મુસ્લિમો માટે તાજિયાદારી એક ધાર્મિક પરંપરા છે અને હઝરત ઈમામ હુસૈનની કરબલા ખાતેની શહાદતનો ગમ મનાવવાનો અવસર પણ છે.

You Might Also Like

હોટલ-રેસ્ટોરન્ટમાં રાત્રે જ ગરાકી રહેતી હોય છે, સરકારની મંજુરી મળ્યા બાદ ધંધામાં તેજી આવશે
લોકસભા ચૂંટણી પરિણામોથી દહેશતમાં દાઉદ ઈબ્રાહીમ, ટેન્શનમાં ISIના અધિકારીઓને લગાવી રહ્યો છે ફોન!: સૂત્ર
Covid-19: Eight Patients Died in Delhi Hospital for Want of Oxygen, High Court Take Centre to Task
PUBG મોબાઇલે ભારતમાં પરત ફરવાની કરી પુષ્ટિ, ભારતીય યુઝર્સ માટે સ્પેશિયલ ગેમ થશે લોન્ચ
જો તમે મોબાઈલ ખિસ્સામાં મૂકો છો,તો હવે ચેતી જજોઃયુવાનના ખિસ્સામાં રેડમીના ફોનમાં થયો બ્લાસ્ટ
TAGGED:hussainmuharramtajia
Share This Article
Facebook Email Print
Popular News
Mayavati
उत्तरप्रदेशमहत्वपूर्ण कहानियांराजनीतिराज्यराष्ट्रीयहिन्दी

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

August 10, 2026

Jharkhand Bandh : झारखंड बंद का कई जिलों में असर, सड़क पर उतरे भाजपा कार्यकर्ता; छात्रों पर लाठीचार्ज का विरोध

अमित शाह के समर्थन में NDA सांसदों का मार्च, राहुल गांधी से पूछा- झारखंड में छात्रों पर कार्रवाई का जवाब कौन देगा?

Parliament Monsoon Session : राम मंदिर चढ़ावे के मुद्दे पर विपक्ष की चर्चा की मांग, राम गोपाल यादव बोले- सरकार बहस से बच रही

Weather Alert : MP-UP समेत 5 राज्यों में आंधी-तूफान और बिजली गिरने का अलर्ट, IMD ने जारी की चेतावनी

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

पश्चिमी कोलंबिया में 7.4 तीव्रता के भूकंप से भारी तबाही, 132 लोगों की मौत; 570 से अधिक घायल

देश विरोधी तत्वों ने स्लोवेनिया में भारतीय दूतावास को क्षतिग्रस्त किया, भारत ने की काररवाई की मांग

कोलंबिया में भूकंप से 111 लोगों की मौत, सरकार ने घोषित किया राष्ट्रीय आपातकाल

Ram Mandir: आचार्य इंद्रदेव मिश्र बने राम मंदिर के ‘व्यवस्था प्रमुख’, दिसंबर 2026 तक संभालेंगे जिम्मेदारी

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?