1. Home
  2. revoinews
  3. ભરચોમાસે પાણી માટે તરસ્યા કોઠારિયાના લોકો, તંત્રની બેદરકારીથી લોકો પરેશાન
ભરચોમાસે પાણી માટે તરસ્યા કોઠારિયાના લોકો, તંત્રની બેદરકારીથી લોકો પરેશાન

ભરચોમાસે પાણી માટે તરસ્યા કોઠારિયાના લોકો, તંત્રની બેદરકારીથી લોકો પરેશાન

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે રાજ્યમાં સરેરાશ 110 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. આ વર્ષે સૌથી વધારે વરસાદ કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે જળાશયો પણ છલકાયાં છે. ત્યારે રાજકોટમાં ભરચોમાસે કોઠારિયાના લોકોને પાણી માટે વલખા મારાના દિવસો આવ્યાં છે. તંત્રની બેદરકારીને કારણે પાણી નહીં મળતા કોઠારિયાના લોકોએ

સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટના કોઠારિયા વિસ્તારને મનપામાં સમાવવામાં આવ્યો છે. પાંચ વર્ષથી પહેલા આ વિસ્તારનો મનપામાં સમાવવા છતાં સ્થાનિકોને પ્રાથમિક સુવિધા નહીં મળતી હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. એટલું જ નહીં ભરચોમાસામાં આ વિસ્તારના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. દરમિયાન કોઠારીયા સોલવન્ટ ફાટક નજીક મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્ર થયાં હતા. તેમજ રસ્તા પર ચક્કાજામ કરી ‘પાણી આપો’ની માંગ કરી હતી. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ વિરોધ કરનારા લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસોમાં સૌરાષ્ટ્રના અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થાય છે. ત્યારે રાજકોટના કોઠારિયા વિસ્તારમાં ભરચોમાસે પીવાના પાણીની સમસ્યા સર્જાતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code