1. Home
  2. revoinews
  3. ચૂંટણીની કડવાશ ભૂલીને પીએમ મોદીના શપથગ્રહણ સમારંભમાં પહોંચશે મમતા બેનર્જી
ચૂંટણીની કડવાશ ભૂલીને પીએમ મોદીના શપથગ્રહણ સમારંભમાં પહોંચશે મમતા બેનર્જી

ચૂંટણીની કડવાશ ભૂલીને પીએમ મોદીના શપથગ્રહણ સમારંભમાં પહોંચશે મમતા બેનર્જી

0
Social Share

તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી અને ભાજપનો 36નો આંકડો જોવા મળ્યો હતો. પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચે ઘણીવાર શાબ્દિક ટપાટપી જોવામ મળી છે. પરંતુ ચૂંટણી ટાણે ઉભી થયેલી કડવાશને ભૂલીને મમતા બેનર્જી 30મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારંભમાં સામેલ થશે.

પશ્ચિમ બંગાળમાં સત્તારુઢ ટીએણસી લોકસભા ચૂંટણીમાં ભાજપ સામેના ચૂંટણી જંગમાં 22 બેઠકો જીતવામાં સફળ રહી છે. જ્યારે ભાજપને 18 અને કોંગ્રેસને બે બેઠકો મળી છે. ભાજપી આ જીતમાં મુકુલ રોય અને પ. બંગાળના ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયની મોટી ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. આ ચૂંટણીમાં ભાજપ માટે જબરદસ્ત પરિણામ પશ્ચિમ બંગાળથી જોવા મળ્યા છે. જેના કારણે મમતા બેનર્જી અને ટીએમસીને પરસેવો છૂટી ગયો છે. આઠ વર્ષથી સત્તારુઢ ટીએમસીને અમિત શાહના નેતૃત્વવાળી ભાજપે સૌથી મોટો ઉલટફેર કરી દેખાયડો છે.

ટીએમસી અને ભાજપમાં જબરદસ્ત લડાઈને કારણે લોકસભા ચૂંટણીમાં હિંસાની સાથે બંને પક્ષોના નેતાઓ વચ્ચે જુબાની જંગ પણ જોવા મળી હતી. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે મમતા બેનર્જી તેમના માટે મિઠાઈ મોકલે છે, તો મમતા બેનર્જીએ પલટવાર કરતા કહ્યું હતું કે આ ચૂંટણીમાં પ. બંગાળ તેમને કાંકરાની મિઠાઈ મોકલશે. હાલ મમતા બેનર્જીએ પીએમ મોદીની શપથવિધિમાં સામેલ થવાની સંમતિ દર્શાવીને સ્થિતિને સામાન્ય કરવાનું કામે મોકલ્યું છે.

મહત્વપૂર્ણ છે કે 30મી મેના રોજ મોદી સાંજે સાત વાગ્યે વડાપ્રધાન પદે શપથ ગ્રહણ કરશે. પીએમ મોદી ભાજપના પહેલા એવા નેતા છે કે જેઓ વડાપ્રધાન તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ સતત બીજી ટર્મ આ પદ પર કાબિજ થશે. તેની સાથે તેઓ જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી બાદ મોદી પૂર્ણ બહુમતી સાથે સતત બીજી વખત પહોંચનારા ત્રીજા વડાપ્રધાન બનવાના છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code