1. Home
  2. revoinews
  3. અયોધ્યા રામ મંદિર નિર્માણમાં થશે ખાસ માટીનો ઉપયોગ, ભારતના આ સ્થળેથી આવશે માટી
અયોધ્યા રામ મંદિર નિર્માણમાં થશે ખાસ માટીનો ઉપયોગ, ભારતના આ સ્થળેથી આવશે માટી

અયોધ્યા રામ મંદિર નિર્માણમાં થશે ખાસ માટીનો ઉપયોગ, ભારતના આ સ્થળેથી આવશે માટી

0

દિલ્હી – અયોધ્યામાં 5મી ઓગસ્ટના રોજ ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવશે. મંદિર નિર્માણમાં ભારતભરમાં એકત્ર કરવામાં આવેલી પવિત્ર માટે અને જળનો ઉપયોગ કરવામાં આવશે. છત્રપતિ શિવાજી મહારાજ અને ચંદ્રશેખર આઝાદ સહિતના ભારતના વીર સપૂતોની પ્રેરણાસ્ત્રોત સ્થળની પવિત્ર માટીનો ઉપયોગ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ મંદિરોની પવિત્ર માટી અને જળ એકત્ર કરવામાં આવ્યા છે ગુજરાતમાં લગભગ 900થી વધુ સ્થળ પવિત્ર સ્થળોની માટી અને જળ એકત્ર કરીને અયોધ્યા મોકલવામાં આવ્યા છે. બીજી તરફ બદ્રીનાથ ધામ, છત્રપતિ શિવાજી મહારાજના રાયગઢ કિલ્લો, શ્રી રંગનાથ સ્વામી મંદિર, શ્રી મહાકાલેશ્વર મંદિર, દેશ માટે બલિદાન આપનાર સપૂત એવા ચંદ્રશેખર આઝાદ અને બિરસા મુંડાની જન્મભૂમિ, દેશના વીર સપૂતો પ્રેરણાસ્ત્રોત સ્થળની પવિત્ર માટી અને જળ સહિતની વસ્તુઓ પણ અયોધ્યા પહોંચી છે.

જો કે રામમંદિર નિર્માણનો મુદ્દો ઘણા વર્ષો સુધી કોર્ટમાં ચાલ્યો હતો અને આખરે હિન્દુ પક્ષમાં આ નિર્ણય આવતા રામમંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.