![નીરવ મોદીને બ્રિટનની કોર્ટે વધુ એક આંચકો આપતા જામીન અરજી ફગાવી, હવે 24 મેએ થશે સુનાવણી](https://hindi.revoi.in/wp-content/uploads/2019/04/nirav-modi1.jpg)
નવી દિલ્હી : પીએનબી ગોટાળાના આરોપી ભાગેડું હીરા કારોબારી નીરવ મોદીને બ્રિટનની અદાલતમાંથી વધુ એક આંચકો લાગ્યો છે. બ્રિટનની કોર્ટે નીરવ મોદીની જામીન અરજી નામંજૂર કરી છે. હવે આ મામલામાં આગામી સુનાવણી 24 મેના રોજ કરવામાં આવશે. તેના પછી નીરવ મોદીને 24મી મે સુધી પોલીસ કસ્ટડીમાં રહેવું પડશે. આના પહેલા એક અબજ ડોલરની છેતરપિંડી અને મની લોન્ડ્રિંગના મામલામાં આરોપી નીરવ મોદીને શુક્રવારે લંડનની કોર્ટમાં રિમાન્ડ પર સુનાવણી માટે જેલમાંથી વીડિયોલિંક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
![](https://148.72.41.190/wp-content/uploads/2019/04/nirav-modi1.jpg)
નીરવ મોદીની માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી. 48 વર્ષીય નીરવ મોદી દક્ષિણ-પશ્ચિમ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. તેને વેસ્ટમિંસ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટમાં જેલમાંથી વીડિયોલિંક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. નીરવ મોદીની જામીન અરજીને નામંજૂર કરવામા આવી છે. આના પહેલા મુખ્ય મેજીસ્ટ્રેટ એમ્મા અર્બુથનોટે 29 માર્ચે જામીન અરજીને એ આધાર પર ફગાવી દીધી હતી. કે એ વાતનું જોખમ છે કે તે સરન્ડર નહીં કરે. આવા પ્રકારના મામલામાં જ્યુડિશ્યિલ રિમાન્ડ માટેની સમયમર્યાદા 28 દિવસની હોય છે.
બીજી તરફ નીરવ મોદી અને મેહુલ ચોક્સીની 12 લક્ઝરી કારોની હરાજી ગુરુવારે કરવામાં આવી છે. કારોની હરાજી સરકારી કંપની એમએસટીસીની વેબસાઈટના માધ્મયથી કરવામાં આવી છે. નીલામ થયેલી કારોમાં 10 નીરવ મોદી ગ્રુપની અને બે કાર મેહુલ ચોક્સી ગ્રુપની છે. તેમા એક રોલ્સરોયસ અને એક પોર્શ કાર પણ સામેલ છે. આ કારોને વેચવાથી ઈડીને 3.29 કરોડ રૂપિયા મળ્યા છે. આ ઈ-ઓક્શન એમએસટીસીએ ઈડી તરફથી કર્યું છે. નીરવ મોદીની એક ટોયોટો કારનું કોઈ ખરીદદાર મળ્યું નથી.
સરકારી કંપની એમએસટીસીની વેબસાઈટ પર બોલી માટે આપવામાં આવેલી શરત મુજબ, બોલી લગાવનારને હરાજીમાં ભાગ લેવા માટે લિસ્ટેડ પ્રારંભિક કિંમતના પાંચ ટકા રકમ એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવાની હતી. જે કારોને હરાજી માટે પંદ કરવામાં આવી હતી. તે તમાની શરૂઆતની કિંમત લગભગ ત્રણ કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. રોલ્સ રોયસની પ્રારંભિક કિંમત 1.33 કરોડ અને હોન્ડા બ્રિયોની કિંમત 2.38 લાખ રૂપિયા હતી.