Site icon Revoi.in

કંગના રનૌતે સુશાંતને મીણબત્તી પ્રગટાવી આપી શ્રધ્ધાંજલિ

Social Share

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદથી તેમના ફેંસ સતત આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર છેલ્લા એક મહિનાથી બોલિવૂડ સેલેબ્સ તેમના નિધન પર અનેક સવાલો ઉઠાવ્યા હતા અને કેસની તપાસ માટે સીબીઆઈની માંગ ઉઠી હતી. હાલમાં એડવોકેટ ઇશકરણ સિંહ ભંડારીએ લોકોને અપીલ કરી હતી કે તેઓ બોલિવૂડ એક્ટર સુશાંતને દીવો અથવા મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપે. આ અભિયાન ફક્ત ફેંસ દ્વારા જ નહીં પરંતુ બોલિવૂડની ‘ક્વીન’ એટલે કે કંગના રનૌતે પણ સફળ બનાવ્યું હતું. તેણે આ ડિજિટલ પ્રોટેસ્ટમાં ભાગ લીધો હતો.

સોશિયલ મીડિયા પર ગઇકાલ સાંજથી સુશાંત સિંહ રાજપૂતના ફેંસ તેમને દીવો અથવા મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુશાંતના નિધન બાદ સ્પષ્ટતા કરી ચૂકેલી કંગના રનૌતે પણ ડિજિટલ પ્રોટેસ્ટમાં ભાગ લીધો હતો. આ ફોટોના કેપ્શનમાં તેણે #CandleforSSR હેશટેગનો ઉપયોગ કર્યો છે.

સુશાંતના નિધન બાદ કંગના બોલીવુડમાં નેપોટીઝમ અને ગૌરવ અંગેના તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહી છે. કંગના રનૌત તેના હાલના ઇન્ટરવ્યુમાં સુશાંતના મોતનું કારણ બોલિવૂડમાં ફેલાયેલ ભત્રીજાવાદ, જૂથવાદ અને મૂવી માફિયાને આપ્યો છે.

ઇશકરણ સિંહ ભંડારીના આ અભિયાનમાં સુશાંતસિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ અંકિતા લોખંડે પણ તેમની સાથે જોડાઈ હતી. અને ઈસુના ફોટાને શેર કરતા દીપ પ્રગટાવી સુશાંતને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

ફોટો શેર કરતી વખતે અંકિતાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ઉમ્મીદ, પ્રાર્થના અને શક્તિ … જ્યાં હો ત્યાં ખુશ રહો. સુશાંત સિંહ રાજપૂતના ફેંસ પણ આ અભિયાનમાં જોડાયા હતા. અને એક્ટરને શ્રદ્ધાંજલિ આપતી વખતે #Candle4SSRસાથે સતત ફોટા શેર કરી રહ્યાં છે.

_Devanshi