1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં એક વર્ષમાં માર્ગ અકસ્માતના 6711 બનાવો, 7988 વ્યક્તિઓના થયા મોત

ગુજરાતમાં એક વર્ષમાં માર્ગ અકસ્માતના 6711 બનાવો, 7988 વ્યક્તિઓના થયા મોત

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધયાત્ર વધારો થયો છે. વર્ષ 2019માં બેદરકારીથી વાહન હંકારવાના કારણે માર્ગ અકસ્માતના 6711 બનાવો બન્યાં હતા. જેમાં 7988 વ્યક્તિઓના મોત થયાં હતા. ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં માર્ગ અકસ્માતના 421 બનાવમાં 442 વ્યક્તિઓના મોત થયાં હતા.

નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર રાજ્યમાં હિટ એન્ડ રનની 966 ઘટનાઓ વર્ષ 2019માં બની હતી. જેમાં 1129 વ્યક્તિઓના મોત થયાં હતા. સુરતમાં માર્ગ અકસ્માતના 290 બનાવ બન્યાં હતા. જેમાં 301 વ્યક્તિઓનું અવસાન થયું હતું. આમ ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં માર્ગ અકસ્માતના સૌથી વધારે બનાવ બન્યાં છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વર્ષ 2019માં માર્ગ અકસ્માતમાં 352, વડોદરા ગ્રામ્યમાં 313, વડોદરા શહેરમાં 158, વલસાડમાં 347, સુરત શહેરમાં 288, રાજકોટ શહેરમાં 171, ખેડામાં 241, ગાંધીનગરમાં 229, ભરૂચમાં 293 અને ગોધરામાં 239 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યાં હતા.રાજ્યમાં વર્ષ 2015થી 2019 સુધી માર્ગ અકસ્માતના બનાવોમાં 39 હજાર વ્યક્તિઓના જીવ ગયા હતા. વર્ષ 2015માં 8038, 2016માં 8011, 2017માં 7574, 2018માં 8040 મોત થયાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code