જમ્મુ કાશ્મીરના રાજોરીમાં પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું – એક અધિકારી શહીદ

  • પાકિસ્તાનની નાપાક હરકત
  • યુદ્ધ વિરામનો ભંગ કર્યો
  • ગોળીબારમાં એક અધિકારી શહીદ
  • બુધવારની સવારે પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો

દેશના કેન્દ્ર સાશિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની ઘુસણખોરીની ઘટના બનતી રહેતી હોય છે તો પાડોશી દેશ પાકિસ્તાન તેની હરકતોથી બાજ ન આવતા અવારનવાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરતું જોવા મળે છે, પાકિસ્તાન દેશ સતત ભારતની શાંતિ અને અખંડિતતાને હાનિ પહોચાડવા માટે  કાર્યરત જ હોય છે જો કે ,ભારતીય સેનાના જવાનો દ્વારા પાકિસ્તાનને મૂહતોડ વળતો જવાબ આપવામાં આવે છે.

રોજ ફરી પાકિસ્તાને તેની નાપાક હરકતને અંજામ આપ્યો છે, જમ્મુ-કાશ્મનીરના રાજોરી જીલ્લામાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ભારતીય સેનાના એક જુનિયર કમીશન્ડ અધિકારી અટલે કે જેસીઓ શહીદ થવાના સમાચાર મળી આવ્યા છે, બુધવારની સવારે કેરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાનની સેનાએ યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો આ સમય દરમનિયાન ગોળી વાગવાથી આ અધિકારી શહીદ થયો છે.

સાહીન-

 

RELATED ARTICLES

Most Popular