1. Home
  2. revoinews
  3. સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પરથી દેશની જનતાને સંબોધન કરશે
સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પરથી દેશની જનતાને સંબોધન કરશે

સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પરથી દેશની જનતાને સંબોધન કરશે

0
Social Share
  • કોરોનાના કારણે સ્વતંત્રતા દિવસની ઉજવણી અલગ રીતે થશે
  • કાર્યક્રમોમાં દર વર્ષ કરતા ફેરફાર જોવા મળશે
  • લાલ કિલ્લા આસપાસ સુરક્ષામાં કરાયો વધારો
  • દેશના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે
  • ગાર્ડ ઓફ ઓનલ આપનાર જવાનોને કેટલાક દિવસો પહેલાથી જ ક્વોરેન્ટાઇન કરાયા હતા

સમગ્ર દેશમાં એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ કાલે દેશ માટે ખુબ જ મહત્વનો દિવસ છે,15મી ઓગસ્ટ સ્વતંત્રતાનો દિવસ,દર વર્ષે દેશભરમાં આ દિવસની ઉજવણી ઘૂમઘામથી કરવામાં આવતી હોય છે.ત્યારે આ વખતે કોરોનાને લઈને આ દિન નિમિત્તે કરવામાં આવતી ઉજવણીમાં ફેરફાર જોવા મળશે તે વાત ચોક્કસ.

આવતી કાલે 74મો સ્વાતંત્રતા દિવસ છે,હવે થોડા જ કલાકોમાં આ દિવસનું આગમન છે જેને લઈને રાજધાની દિલ્હીમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે,મોટે ભાગે લાલ કિલ્લો આ માટે સજ્જ થીઈ ચૂક્યો છે, અહી સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે, દર વર્ષની જેમ જ આ વર્ષે પણ લાલ કિલ્લા પર રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ યોજાનાર છે, જેમા દેશના વડાપ્રધાન ઉપસ્થિત રહીને દેશની જનતાને ખાસ સંબોધિત કરનાર છે.

દિલ્હીમાં લાલ કિલ્લા પર હાલ અનેક તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, દેશના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપનાર જવાનોને કેટલાક દિવસો પહેલાથી જ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમની શરુઆત સવારના 7 વાગ્યે રાજઘાટ પહોંચવા સાથે થશે.રાજઘાટ પર અંદાજે 10 મિનિટ રોકાવાની શક્યતા છે,  લગભગ સવા 7 વાગ્યાની આસપાસ પીએમ મોદી લાલ કિલ્લા પર આવેલા લાહોર ગેટ પર હાજરી આપશે, આ ગેટ પાસે તેમના સ્વાગત માટે પહેલેથી જ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રક્ષા સચિવ ઉપસ્થિત હશે. ત્યાર બાદ વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.આ કાર્યક્રમ બાદ રક્ષા સચિવ જીઓસી દિલ્હી એરિયા સાથે પીએમ મોદીને વાકેફ કરાવશે. જોમ કે આ સમગ્ર કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ મેઈન્ટેઈન કરવામાં આવશે તે સાથે જ અનેક તકેદારી લેવામાં આવશે.

આ સમગ્ર ઘટના ક્રમ બાદ વડાપ્રધાન મોદી લગભગ 7 વાગ્યેને 30 મિનિટે રા્ટ્ર ધ્વજ ફરકાવશે, તે સાથે જ સુરક્ષાદળોના જવાનો દ્વારા રાષ્ટ્રીય સલામી આપવામાં આવશે, સેનાના ખાસ બેન્ડ દ્રારા રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવશે અને 21 તોપોની સલામી અપાશે.

આટલો કાર્યક્રમ પુરો થયા બાદ દેશના વડાપ્રધાન નેરન્દ્ર મોદી દેશને સંબોધન કરશે. વડાપ્રધાનના સંબોધન પુરુ થયા પછી રાષ્ટ્રીય કૈડેટ રાષ્ટ્રગીતનું ગામ કરશે ત્યાર બાદ તેઓ લાલ કિલ્લા પરથી વિદાય લેશે.

આ દિવસ દેશ માટે ખાસ દિવસ છે, દેશના દુશ્મનો અને દેશના માનસમ્માનને હાનિ પહોચાડનારા લોકોની નજર આજના આ દિવસે ખાસ આપણા દેશ પર હોય છે જેને લઈને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે, અહી સીસીટીવી કેમેરાને મોટા પ્રમાણમાં લગાવવામાં આવી ચૂક્યા છે જેનું મોનિટરિંગ સતત કરવામાં આવતું જ રહેશે, અંદાજે 4 હજાર જેટલા સેનાના જવાનોની તૈનાતી કરવામાં આવી છે.દિલ્હીના જાણીતા વિસ્તારોમાં પોલીસના કાફલો તેમજ સેનાના જવાન બંદોબસ્તમાં જોતરાયા છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code