1. Home
  2. revoinews
  3. INX કેસઃ-ચિદમ્બરમે જમાનત માટે દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી
INX કેસઃ-ચિદમ્બરમે જમાનત માટે દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી

INX કેસઃ-ચિદમ્બરમે જમાનત માટે દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી

0
Social Share
  • ચિદમ્બરમે જમાનત માટે અરજી કરી
  • ચિદમ્બરમ 14 દિવસ ન્યાયિક કસ્ટડીમાં
  • 5 સપ્ટેમ્બરના રોજ તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા
  • સીબીઆઈ ચાર્જશીટ ફાઈલ કરે તો ચિદમ્બરની મુશ્કેલી વધી શકે છે

એઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ મંત્રી પી.ચિદમ્બરમે દિલ્હી હાઈ કોર્ટમાં જમાનત માટે અપીલ કરી છે, આ અરજીના માધ્યમથી ચિદમ્બરમે પોતાની ન્યાયિક કસ્ટડીને પડકાર આપ્યો છે,પોતે કોર્ટમાં કરેલી અરજીમાં ચિદમ્બરમે કહ્યું કે,તેમની કરવામાં આવેલી ઘરપકડ અને ન્યાયિક કસ્ટડીને ગેરકાયદેસર ગણાવી છે,આ કેસની પૂછતાંછ પુરી થઈ ચુકી છે,તેમને જેલમાં રાખવા યોગ્ય નથી,આ અરજીના જવાબમાં સોમવારે હાઈકોર્ટ સુનાવણી કરશે,હાલતો ચિદમ્બરમ 19 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે.

ચિદમ્બરમે કરેલી અરજીમાં કહ્યું કે,આ કેસનો કોઈ પણ આરોપી જેલમાં બંધ નથી,ચિદમ્બરમ  હાલ તિહાર જેલમાં બંધ છે,અને તેમને દીલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે 14 દિસવની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે,ચિદમ્બરમને 5 સપ્ટેમ્બરના રોજ તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા અને 19 સપ્ટેમ્બર સુધી તેમને કસ્ટડીમાં જ રાખવામાં આવશે, આ પહેલા પમ સીબીઆઈ તેમને રીમાન્ડ પર રાખી ચૂકી છે આ સમય દરમિયાન ચિદમ્બરને કેટલીક પૂછતાંછ પણ કરવામાં આવી હતી.

આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમના વિરુદ્ધ સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી લીધી છે, આ મહિનાના ત્રીજા અઠવાડિયામાં ચાર્જશીટ ફાઇલ થી શકે છે. જો સીબીઆઈ દ્વારાચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે તો ચિદમ્બરમને જામીન મળવાની સંભાવના ઓછી થઈ જશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code