1. Home
  2. revoinews
  3. ભારતે ચીનને આપી ચેતવણી- હવે જરુરત પડવા પર ફાયરિંગ પણ કરીશું
ભારતે ચીનને આપી ચેતવણી- હવે જરુરત પડવા પર ફાયરિંગ પણ કરીશું

ભારતે ચીનને આપી ચેતવણી- હવે જરુરત પડવા પર ફાયરિંગ પણ કરીશું

0
Social Share
  • ચીન અને ભારત વચ્ચે સતત તણાવ
  • ભારતે હવે ચીનને આપી ઘમકી
  • વાતથી નહી સમજે તો થશે ફાયરિંગ
  • વાયુસેનામાં હવે રાફેલ પણ તૈનાત

લદ્દાખ સીમા વિવાદ ભાર અને ચીન વચ્ચે સતત વકરી રહ્યો છે, ચીનની ભુલ ચીન સ્વીકારવા તૈયાર જ નથી,આ સાથએ જ ચીનની સેના પીછે હચટ થવામાં માનતી નથી ત્યારે ભારત તરફથી પણ અડગ રહેવાની તૈયારીઓ થઈ ચૂકી છે,ચટીન સાથે અનેક વાતાઘાટો થયા બાદ પણ ચીન તેની હરકતમાંથી બહાર નથી આવતું આ સાથે ભારતીય વિસ્તારમાં તેની સેનાનો સતત જમાવડો જાવા મળી રહ્યો છે.

આ સમગ્ર બાબત વચ્ચે દ્રીમૂખી ચીન પર ભારતીય સેનાને હવે ચીની સૈનિકો પર વશ્વાસ રહ્યો નથી. જેથી કરીને હવે ભારતીય સેના પણ સખ્ત વલણ અપવાની રહી છે.ભારતીય સેના તરફથી ચીનને સાફ શબ્દગોમાં કહેવામાં આવ્યું છે કે જો તેમના તરફથી કોઈ પણ ગતિવિધિ જોવા મળશે તો ભારતીય સેના ફાયરિંગ કરવામાં જરા. મોડુ નહી કરે.

એરફોર્સે પણ એક નિવેદન આપ્યું છે ,જદેમાં કહેવામાં આવ્યું છે કે, હવે અમે ચીન અને પાકિસ્તાન બન્ને સીમા પર અડગ છીએ અને તેઓને દરેક મોર્ચે પહોંચી વળવા સક્ષમતા ધરાવીએ છીએ, જરુરત પડવા પર બન્ને મોરચે એરફોર્સ એક સાથે લશ્કરી ઓપરેશન પણ કરી શકે છે.

જો કે આ સમગ્ર બાબતે ભારતે તો  પહેલેથી જ  પોતોની તૈયારી દર્શઆવી જ છે.ચીન-પાકિસ્તાન પાસેની તમામ સરહદ પાસે આવેલા એરબેઝ અને અન્ય વ્યુહાત્મક એરબેઝ પર ફાઈટર જેટને તૈનાત કરવામાં આવ્યા છે.આ સાથે લદ્દાખની આસપાસ સુખોઈ, મિગ તો દેખરેખ હેઠળ હતા જ જો કે હવે ભારતીય વાયુ સેનાની તાકાતમાં વધારો કરનાર ફાઈટર જેટ રાફેલ પણ તૈનાત કરવામાં આવ્યા છે.

આ સાથે જ લશ્કરોને પુરતા પ્રમાણમાં અનેક હથિયાર અને સામગ્રી મોકલવા માટે સી-૧૩૦જે, આઈએલ-૭૬, એન્તનોવ-૩૨ જેવા ટ્રાન્સપોર્ટ વિમાનો પણ સતત ઉડાન ભરી રહ્યા છે. ચીનની ઘુસણખોરીને લઈને હવે ભારત કોઈ પણ વાત સરળતાથી અને સહજતાથી લેશે નહી ,ચીનની તમામ ગતિવિધિઓ પર ભારતીય વાયુ સેનાની બાજ નજર જોવા મળી રહી છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code