![ભાગલાવાદી હુર્રિયત કોન્ફરન્સના પ્રમુખ સૈયદ અલી શાહ પર ઈડીએ લગાવ્યો 14.40 લાખ રૂપિયાનો દંડ](https://hindi.revoi.in/wp-content/uploads/2019/03/gillani2.jpg)
ભાગલાવાદી હુર્રિયત કોન્ફરન્સના પ્રમુખ સૈયદ અલી શાહ પર ઈડીએ લગાવ્યો 14.40 લાખ રૂપિયાનો દંડ
જમ્મુ-કાશ્મીરના ભાગલાવાદી નેતાઓ પર ભારતીય તપાસ એજન્સીઓ સકંજો કસી રહી છે. ઈડીએ કાશ્મીરના ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની વિરુદ્ધ ફેમા હેઠલ 14.40 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આના સિવાય ઈડીએ 10 હજાર ડોલર એટલે કે અંદાજે સાત લાખ રૂપિયા જપ્ત કર્યા છે. આ રકમ 2002ના વર્ષમાં ગિલાનીના શ્રીનગર ખાતેના નિવાસસ્થાનેથી ઈન્કમટેક્સ વિભાગના દરોડા દરમિયાન પકડવામાં આ હતી.
![](http://www.revoi.in/wp-content/uploads/2019/03/gillani2.jpg)
કેન્દ્રીય તપાસ એજન્સીએ 87 વર્ષીય ભાગલાવાદી નેતા ગિલાનીને ફેમાની અલગ-અલગ જોગવાઈઓ હેઠળ નોટિસ ફટકારી હતી. એટલું જ નહીં, જેકેએલએફના ભૂતપૂર્વ ચેરમેન યાસિન મલિકની પાસે મળેલી ગેરકાયદેસર વિદેશી મુદ્રાને જપ્ત કરવાની સાથે જ તેના ઉપર દંડ પણ લગાવ્યો હતો. યાસિન મલિક વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. મહત્વપૂર્ણ છે કે એનઆઈએ અને અન્ય એજન્સીઓ ઘાટીમાં ટેરર ફંડિંગની તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓએ તપાસ દરમિયાન ભાગલાવાદીઓ નેતાઓની પૂછપરછ પણ કરી છે.
પુલવામા ખાતે ગત 14મી ફેબ્રુઆરીએ આતંકવાદી હુમલા બાદ ભાગલાવાદી નેતાઓની વિરુદ્ધ ભારત સરકારે પોતાના તેવર આકરા કર્યા છે. સરકારે ભાગલાવાદી નેતાઓને આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચી લીધી છે. સુરક્ષા હટાવાયા બાદ ભાગલાવાદી નેતાઓએ કહ્યુ છે કે તેમણે ક્યારેય સુરક્ષાની માગણી કરી ન હતી. હુર્રિયત કોન્ફરન્સના નેતાઓને પાકિસ્તાન સમર્થક કહેવામાં આવે છે. તેમના ઉપર આરોપ છે કે તેઓ કાશ્મીર ખીણમાં ભાગલાવાદી ભાવનાઓને ભડકાવવાની સાથે સુરક્ષાદળો પર પથ્થર ફેંકવા માટે યુવાવર્ગના લોકોને નાણાં પણ પુરા પાડે છે.
સુરક્ષા એજન્સઓએ કાશ્મીર ખીણમાં કાર્યવાહી કરતા કેટલાક સમય પહેલા મીરવાઈઝ ઉમર ફારુકના ઘરેથી હોટલાઈન જપ્ત કરી હતી. જણાવવામાં આવે છે કે મીરવાઈઝ ઉમર ફારુક આ હોટલાઈનનો ઉપયોગ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓ સાથે વાતચીત માટે કરતો હતો.