1. Home
  2. revoinews
  3. કાશ્મીરમાં પોતાનું જ હેલિકૉપ્ટર ક્રેશ કરનારા IAFના પાંચ ઓફિસરો ગુનેગાર સાબિત
કાશ્મીરમાં પોતાનું જ હેલિકૉપ્ટર ક્રેશ કરનારા IAFના પાંચ ઓફિસરો ગુનેગાર સાબિત

કાશ્મીરમાં પોતાનું જ હેલિકૉપ્ટર ક્રેશ કરનારા IAFના પાંચ ઓફિસરો ગુનેગાર સાબિત

0
Social Share

IAF પોતાના પાંચ અધિકારીઓ સામે કરશે કાર્યવાહી

ચૉપર MI-17V5 ક્રેશના મામલામાં દોષિત કરાર

કાર્યવાહીનો રિપોર્ટ વાયુસેના મુખ્ય કાર્યાલયને મોકલશે

વાયુસેના પોતાના પાંચ અધિકારીઓ સામે કાર્યવાહી કરશે, આ અધિકારીઓ 27 ફેબ્રુઆરીના રોજ શ્રીનગરમાં પોતાના જ હેલિકૉપ્ટર પર ફાયરિંગ કરવાની ઘટનામાં આરોપી સાબિત થયા છે,  ઘટના તે સમયે બનવા પામી હતી ,જ્યારે બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાનના લડાકુ વિમાન ભારતમાં ધૂસ્યા હતા.

આ સમય દરમિયાન પશ્વિમી વાયુકમાન પ્રમુખ એયર માર્શલ હરી કુમાર આ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા હતા, સરકારી સુત્રોએ જણાવ્યું કે પાંચ અધિકારીઓને તપાસ દરમિયાન દોષીત કરાર આપવામાં આવ્યો છે,અને આગળની કાર્યવાહી કરવા માટેનો રિપોર્ટ પણ મુખ્ય કાર્યાલયમાં મોકલવામાં આવ્યો છે.

આ ગુનેગાર સાબિત થયેલા અધિકારીઓમાં એક ગ્રૃપ કેપ્ટન,બે વિંગ કમાન્ડર અને બે ફ્લાઈટ લેફ્ટિનેટનો સમાવેશ થાય છે,27 ફેબ્રુઆરીના રોજ  આ ઘટના બન્યા પછી તરત વાયુસેનાએ  આ મામલાની તપાસ શરુ કરી હતી,અને મૃતક કર્મચારીઓના પરિવારોને આશ્વાસન આપ્યું હતુ કે દરેક ગુનેગારને સજા આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના બડગામથી 7 કિલો મીટર દુર ગોરેંદ ગામમાં 27 ફેબ્રુઆરીના રોજ એક હેલિકૉપ્ટર MI-17V5 ક્રેશ થયુ હતું, આ હેલિકૉપ્ટર ખેતરમાં પડ્યુ હતુ અને તેમાં આગ લાગી હતી, પરંતુ તે સમયે આ ઘટનાનું કારણ જાણવા મળ્યું નહોતું.આ ઘટનામાં બે પાયલોટ શહીદ થયા હતા, આ હેલિકૉપ્ટરે શ્રીનગર એરબેઝથી ઉડાન ભરી હતી,કશ્મીરમાં જ્યારે આ ચૉપર પેટ્રોલિંગ પર હતું ત્યારે જ આ ઘટના બનવા પામી હતી, અને આ સમય દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે તકરારનો માહોલ હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code