1. Home
  2. revoinews
  3. 18 વર્ષ પછી ગુજરાતના અક્ષરધામ આતંકી હુમલા પર બનશે ફિલ્મ
18 વર્ષ પછી ગુજરાતના અક્ષરધામ આતંકી હુમલા પર બનશે ફિલ્મ

18 વર્ષ પછી ગુજરાતના અક્ષરધામ આતંકી હુમલા પર બનશે ફિલ્મ

0
Social Share
  • અક્ષરધામ મંદિર પર 18 વર્ષ પહેલા 24 સપ્ટેમ્બર 2002 ના રોજ આતંકીઓ દ્વારા હુમલો
  • આ હુમલામાં 30 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને 90 થી વધુ લોકો થયા ઘાયલ
  • આ પહેલા પણ ભારતમાં આતંકવાદી હુમલાઓ પર ઘણી ફિલ્મો બની ચુકી છે

અમદાવાદ: આ દિવસોમાં સત્ય ઘટના પર ઘણી ફિલ્મો બની રહી છે, તે હવે ટ્રેંડ બની ગયો છે, આ ક્રમમાં હવે ગુજરાતના અક્ષરધામ આતંકી હુમલા પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. સીરીઝ ‘સ્ટેટ ઓફિસો: 26/11’ના નિર્માતાઓએ ગુરુવારે ફિલ્મ ‘સ્ટેટ ઓફ સીઝ: અક્ષરધામ’ બનાવવાની ઘોષણા કરી છે.

ગુજરાતના ગાંધીનગર શહેરમાં સ્થિત અક્ષરધામ મંદિર પર 18 વર્ષ પહેલા એટલે કે 24 સપ્ટેમ્બર 2002ના રોજ એક મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 30થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 90થી વધુ લોકો ઘાયલ થયા હતા. ફિલ્મની ઘોષણા થયા બાદથી જ આ ફિલ્મ અંગે ચર્ચા વધુ તીવ્ર બની છે. જ્યાં ફિલ્મની રિલીઝ અને સ્ટાર કાસ્ટ વિશે કોઈ માહિતી સામે આવી નથી.

આ હુમલાના આરોપીની પોલીસે ઘણી જહેમત બાદ ધરપકડ કરી હતી. તેમાં મોહમ્મદ ફારૂક અને કેટલાક અન્ય નામો છે જેઓ આ હુમલામાં સીધા જ સામેલ હતા. આ પહેલા પણ ભારતમાં આતંકવાદી હુમલાઓ પર ઘણી ફિલ્મો બની ચુકી છે. જેને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. હવે તે જોવાનું રહેશે કે દર્શકો આ ફિલ્મને કેટલો પ્રેમ આપે છે. અને આ ફિલ્મ જી 5 એપ પર રિલીઝ થશે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code