1. Home
  2. revoinews
  3. મશહૂર ફિલ્મ નિર્માતા કરણ જોહર આજે મનાવી રહ્યા છે તેમનો 49મો જન્મદિવસઃ- જાણો તેમના વિશેની કેટલીક ખાસ વાતો
મશહૂર ફિલ્મ નિર્માતા કરણ જોહર આજે મનાવી રહ્યા છે તેમનો 49મો જન્મદિવસઃ-  જાણો તેમના વિશેની કેટલીક ખાસ વાતો

મશહૂર ફિલ્મ નિર્માતા કરણ જોહર આજે મનાવી રહ્યા છે તેમનો 49મો જન્મદિવસઃ- જાણો તેમના વિશેની કેટલીક ખાસ વાતો

0
Social Share
  • કરણ જોહરનો 49મો બર્થ ડે
  • નાનપણમાં કરણ જોહરનું વજવ વધુ હતું
  • પિતા તેને એક્ટર બનાવવા માંગતા હતા પરંતુ તેઓ ડાયરેક્ટર બન્યા

કરણ જોહર એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા, સ્ક્રિપ્ટ રાઈટર અને કોસ્ટ્યૂમ ડિઝાઇનર છે જે કોઈની ઓળખના મોહતાઝ નથી, પોતાની ભાવનાત્મક ફિલ્મોથી પ્રેક્ષકોની આંખોમાં આંસુ લાવનાર ફિલ્મ નિર્માતા કરણ જોહર 25 મેએ તેમનો 49 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ફિલ્મ નિર્માતા યશ જોહર અને હિરુ જોહરનો પુત્ર કરણનો જન્મ મુંબઈમાં થયો હતો. કરણના પિતા તેને એકટર બનાવવા માંગતા હતા. પરંતુ નસીબને કંઈક બીજું મંજુર હતું

કરણ જોહરે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાની કારકીર્દિની શરૂઆત વર્ષ 1989 માં ટીવી સિરિયલ ‘શ્રીકાંત’ સાથે કરી હતી જે સિરિયલ દૂરદર્શન પર પ્રસારિત થતી હતી. બાળપણમાં કરણનું વજન ખૂબ વધારે હતું. યશ જોહર તેમને કહેતો હતો કે પાંચથી છ કિલો ઓછું કરી અભિનેતા બનો. પરંતુ કરણ જોહરે તેના ડાયરેક્શનને જ કારકીર્દિ બનાવી અને ‘કુછ કુછ હોતા હૈ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી. આજ દીન સુધી આ ફિલ્મ એટલીજ પ્રિય બની છે,આજના આ ખાસ દિવસે કરણ જોહર વિશે કેટલીક વાતો જાણીએ.

આ પછી કરણે ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ બનાવી અને ફિલ્મફેયરમાં આ ફિલ્મે સાત એવોર્ડ જીત્યા.આ  ફિલ્મ પછી ‘કભી ખુશી કભી ગમ’, ‘કભી અલવિદા ના કેહના’ ‘માય નેમ ઇઝ ખાન,’ સ્ટુડન્ટ ઓફ ધ યર, ‘બોમ્બે ટોકીઝ,’ એ દિલ હૈ મુશકિલ ‘અને’ લસ્ટ સ્ટોરીઝ ‘સહિત દિગ્દર્શિત કરણ દ્વારા કરવામાં આવી હતી..

કરણે તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘દિલવાલે દુલ્હિનીંયા લે જાયેગે’ થી કરી હતી. આ ફિલ્મમાં તેણે સહાયક દિગ્દર્શકની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પર કામ કરતી વખતે શાહરૂખે તેને પોતાની ફિલ્મ્સ બનાવવાની સલાહ આપી હતી.

કરણ જોહર પર અનેક ગ્લેમરસ યૂવતીઓ છે ફીદા- પરંતુ કરણ નથી આપતા કોઈને પણ ભાવ

હિન્દી સિનેમાનાં જાણીતા નિર્માતા અને નિર્દેશક કરણ જોહરની ફેન ફોલોઈંગ કોઈ અભિનેતાથી ઓછી નથી. ફિલ્મી કલાકારોની જેમ કરણ જોહર પણ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બોલીવુડની એક જાણીતી અને ગ્લેમરસ અભિનેત્રીએ તેમને ૩ વખત પ્રપોઝ કરી ચૂકી છે, પરંતુ કરણ જોહરે બોલીવુડની તે સુંદર અભિનેત્રીનો પ્રસ્તાવ દરેક વખતે ઠુકરાવી દીધો હતો. આ અભિનેત્રીએ પોતે એક વખત ચેટ શો પર કરણ જોહરની સામે આ વાતનો ખુલાસો કર્યો હતો. આ શો પર અભિનેત્રી અને કરણ જોહરે અન્ય ઘણી મજેદાર વાતો કરી હતી.

‘કૂછ કૂછ હોતા હે’ ફિલ્મમાં કાજાલના બદલે કરણ જૂહી ચાવલાને લેવા માંગતા હતા

કરણ જોહરની પહેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈ. આ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો છે. જેમાંથી એક એ છે કે કાજોલ આ ફિલ્મ માટે પહેલી પસંદ નહોતી. કરણ પહેલા આ ફિલ્મમાં જુહી ચાવલાને કાસ્ટ કરવા માંગતો હતો. પરંતુ જુહીએ સ્ક્રિપ્ટ સાંભળવાની ના પાડી. ત્યારબાદ કાજોલ પર સહી કરવામાં આવી હતી. એ જ રીતે ટીનાની ભૂમિકા માટે કરણ પહેલા રવિના ટંડન, એશ્વર્યા રાય, તબ્બુ, ઉર્મિલા માર્તોંડકર અને કરિશ્મા કપૂર પાસે ગયા. પરંતુ અંતે, તેમણે આ ભૂમિકા માટે રાની મુખર્જીની પસંદગી કરી.

કરણ જોહર તેની ફિલ્મનું નામ ‘ક’ પરથી રાખવાનું વધુ પસંદ કરતા હતા

જ્યારે કરણ જોહરે ફિલ્મ્સ બનાવવાનું શરૂ કર્યું, ત્યારે તેને ‘કે’ અક્ષર ખૂબ ગમ્યો. તેણે પોતાની દરેક ફિલ્મનું નામ ‘કે’ પરથી જ રાખ્યું હતું. પરંતુ જ્યારે કરણ જોહરે રાજકુમાર હિરાનીની ફિલ્મ લગે રહો મુન્નાભાઇને જોઈ ત્યારે તેમણે આ અક્ષરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. આ ફિલ્મમાં અંકશાસ્ત્રની ટીકા કરવામાં આવી હતી.

ઘણાં ઓછા લોકો જાણતા હશે કે કરણ જોહરને ફ્રેન્ચ ભાષાનું સારું જ્ઞાન છે. તેમણે ફ્રેન્ચ ભાષામા ડિગ્રી મેળવેલી છે.કરણ જોહરને જૂની, એન્ટિક વસ્તુઓનો સંગ્રહ કરવાનો ખૂબ શોખ છે. તેને જ્યારે પણ સમય મળે ત્યારે તે પોતાના આ શોખ પાછળ ટાઇમ સ્પેન્ડ કરે છે.

ઘણાં લોકો એવું માને છે કે શાહરૂખ કરણ જોહરનો સારો મિત્ર છે. તેથી શાહરૂખ સાથે તેને કામ કરવાનું સારું ફાવે છે. પરંતુ કરણના મતે તેને ઋત્વિક રોશન સાથે કામ કરવાની મજા આવે છે. તેનું કારણ આપતા કરણે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં બધા પોતાનું 100 ટકા કામ આપે છે જ્યારે ઋત્વિક 300 ટકા આપે છે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code