1. Home
  2. Revoi

Revoi

પીએમ મોદીની મોટી ઘોષણા, ત્રણેય સૈન્ય પાંખના સેનાપતિ હશે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલા સંબોધનમાં મોટી ઘોષણા કરી છે. તેમણે ભૂમિસેના, નૌસેના અને વાયુસેના એમ ત્રણેય સૈન્ય પાંખના સેનાપતિ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસના પદનું સર્જન કરવાની ઘોષણા કરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે આપણા દેશમાં સૈન્ય વ્યવસ્થા, સૈન્ય શક્તિ અને સૈન્ય સંસાધનોમાં સુધારા પર લાંબા […]

370, 35Aને હટાવવી સરદાર પટેલના સપનાઓને સાકાર કરવા જેવું: પીએમ મોદી

દેશના 73મા સ્વતંત્રતા દિવસે લાલકિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુચ્છેદ-370 અને 35એને હટાવવાનો વિરોધ કરનારી કોંગ્રેસ પાર્ટીને ત્રણ સવાલ પુછીને નિશાને લીધી હતી. તેમણે કહ્યુ છે કે અમે ન તો સમસ્યાઓને ટાળીએ છીએ અને પાળીએ છીએ. સરકાર બનવાના 70 દિવસની અંદર 370 અને 35એને અમે હટાવી દીધી અને સંસદે તેને બે તૃતિયાંશ બહુમતીથી મંજૂરી […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 8 : ખંડિત આઝાદીના પર્વ પર મંથન કરીએ અખંડ ભારતની હત્યાનું કોણ હતું ગુનેગાર?

આનંદ શુક્લ વિભાજનની વિભીષિકા આજે પણ ભારત માટે કરુણાંતિકાઓ જ પેદા કરી રહી છે. ત્યારે આઝાદીની 72 વર્ષ બાદ પણ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે ભારતના ભાગલા માટે જવાબદાર કોણ… ઝીણા.. નહેરુ…મહાત્મા ગાંધી.. સરદાર પટેલ.. કે અંગ્રેજ.. કોંગ્રેસ કે મુસ્લિમ લીગ… કે તમામની સામૂહિક જવાદારી છે? ભારતના ભાગલા છતાં પણ દક્ષિણ એશિયામાં તત્કાલિન સમસ્યાઓ  આજે […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 9 : 1947માં ભારતનું વિભાજન ટાળવા ગાંધીજીએ કોશિશો કરી, પણ કોંગ્રેસ માની નહીં

આનંદ શુક્લ જશ પર જોડા મારવાની વૃતિને કારણે આઝાદીના આંદોલનમાં સૌથી આગળ રહેનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અખંડ ભારતના આશ્વાસન છતાં કોંગ્રેસ દ્વારા ભાગલા સ્વીકારવા બદલ આકરી ટીકા થાય છે. પરંતુ હકીકત એ છે કે અહિંસાવાદી ગાંધીજી ભારતના ભાગલા રોકવાની પ્રામાણિક કોશિશો કરી ચુક્યા હતા. પરંતુ સક્રિય રાજકારણમાંથી રચનાત્મક સામાજિક કાર્યોમાં લાગેલા ગાંધીજીની વાત કોંગ્રેસ દ્વારા […]

ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક “થૉટ્સ ઑન પાકિસ્તાન”: વિભાજન બાદ હિંદુ બહુલ ભારતમાં મુસ્લિમ કોમવાદ પર અંકુશ લાગવાનો વિશ્વાસ હતો?

આનંદ શુક્લ આંદોલનો આદર્શોને પામવા માટે પુરી શક્તિ લગાવીને થતા હોય છે.. પરંતુ ત્યાર બાદના નિર્ણયો આદર્શોની લાગણીઓમાં તણાયા વગર ઉભા થયેલા સંજોગોને આધારે વાસ્તવિકતાના ધરાતલ પર કરવા જોઈએ. આઝાદીની લડત વખતે ભારત પાસે આવા બે વ્યવહારકુશળ અને વાસ્તવિકતાને આધારે લાગણીઓને બાજુએ મુકીને વિચારનારા અને નિર્ણય લેનારા નેતા હતા.. જેમાં લોહપુરુષ સરદાર પટેલ અને આઝાદ […]

પીએમ મોદીએ આપ્યા ‘લકી કલ માટે લોકલ’ અને ‘નકદને ના’ ના સૂત્રો

દેશના 73મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. પીએમ મોદીએ દેશી પ્રોડક્ટને પ્રોત્સાહીત કરવા અપીલ કરી છે. તેની સાથે તેમણે સૂત્ર આપ્યું છે કે લકી કલ કેલિએ લોકલ. તેમણે ડિજિટલ પેમેન્ટને હા અને રોકડને ના કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે […]

2 કરોડ મકાન, દરેક ગામમાં બ્રોડબેન્ડ, પીએમ મોદીનો ન્યૂ ઈન્ડિયાનો પ્લાન

દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ ઘણાં મોટા એલાન કર્યા હતા. પીએમ મોદીએ પોતાના ભાષણમાં હેલ્થ સેન્ટર, જળ શક્તિ મિશન, ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડની પહોંચ, ફાઈબર કનેક્ટિવિટી અને ભ્રષ્ટાચારથી મુક્તિની વાત કહી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે દેશને આગળ વધારવા વધુ પરિવર્તન લાવવાનું છે. આપણે આપણા દેશમાં નવી ઊંચાઈઓને પાર કરવાની છે. દેશના 130 કરોડ લોકોએ […]

PM મોદીએ 5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવા પર મૂક્યો ભાર, કહ્યુ- લક્ષ્ય મુશ્કેલ છે, પણ શક્ય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં ભારતને પાંચ લાખ કરોડ ડોલરની ઈકોનોમી બનાવવાની યોજનાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યુ છે કે આ મુશ્કેલ જરૂર છે, પરંતુ હવામાં નથી. તેમણે કહ્યુ કે આઝાદી બાદ 70 વર્ષની વિકાસયાત્રામાં આપણે બે ટ્રિલિયન ડોલરની ઈકોનોમી સુધી પહોંચી ગયા અને આપણે પાંચ વર્ષમાં બે ટ્રિલિયનની ઈકોનોમીમાં એક ટ્રિલયન વધુ જોડી […]

લાલકિલ્લા પરથી એક દેશ, એકસાથે ચૂંટણીનો સૂર, પીએમ મોદીએ કહ્યુ- એકીકરણની પ્રક્રિયા ચાલતી રહેવી જોઈએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર એક દેશ એક ચૂંટણીનો વિચાર આગળ વધાર્યો છે. પીએમ મોદીએ 73મા સ્વતંત્રતા દિવસે લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતા કહ્યુ છે કે દેશના એકીકરણની પ્રક્રિયા હંમેશા ચાલતી રહેવી જોઈએ. તેમણે પોતાની સરકારમાં દેશના એકીકરણની પ્રક્રિયાની દિશામાં ઉઠાવવામાં આવેલા પગલાની ચર્ચા કરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે અમે જીએસટીના માધ્યમથી […]

આતંકવાદને આશ્રય આપનારાઓને કરીશું બેનકાબ : પીએમ મોદી

લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ છે કે દુનિયા આજે અસુરક્ષાથી ઘેરાઈ છે. દુનિયાના કોઈને કોઈ ભાગમાં મોતનો ઓછાયો મંડરાય રહ્યો છે. ભારત આતંકવાદ ફેલાવનારાઓની વિરુદ્ધ મજબૂતાઈથી લડાઈ લડી રહ્યું છે. પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યુ છે કે આતંકવાદને પનાહ આપનારાઓને અમે દુનિયાની સામે બેનકાબ કરીશું અને આતંકવાદીઓને નષ્ટ કરીશું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code