1. Home
  2. revoinews
  3. મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિની માલિકી માટે કોર્ટમાં અરજી, આવતીકાલે સુનાવણી યોજાય તેવી શકયતા
મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિની માલિકી માટે કોર્ટમાં અરજી, આવતીકાલે સુનાવણી યોજાય તેવી શકયતા

મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિની માલિકી માટે કોર્ટમાં અરજી, આવતીકાલે સુનાવણી યોજાય તેવી શકયતા

0
Social Share

દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ મુદ્દે સુખદ અંત આવ્યા બાદ મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુદ્દે કોર્ટમાં અરજી થઈ છે. આ અરજીમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંકુલની 13.37 એકર જમીનની માલિકી માંગવામાં આવી છે. આ ઉપરાંત શાહી ઇદગાહ મસ્જિદને મંદિરથી દુર ખસેડવાની અપીલ કરવામાં આવી છે. અરજી ઉપર આવતીકાલથી સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીકૃષ્ણ વિરાજમાન તરફથી મથુરા સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. શ્રીકૃષ્ણ સખા તરીકે રંજન અગ્નિહોત્રીએ અરજી કરી છે. મથુરા કોર્ટમાં દાખલ કેસમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંકુલની 13.37 એકર જમીનની માલિકી માંગવામાં આવી છે. આ સાથે શાહી ઇદગાહ મસ્જિદને મંદિરના સ્થળેથી દૂર કરવાની અપીલ કરવામાં આવી છે. કોર્ટ દ્વારા કેસને સુનાવણી માટે મંજૂરી આપાઈ હતી. આવતીકાલે અરજી ઉપર સુનાવણી હાથ ધરાય તેવી શકયતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં બાબરી ધ્વંશ કેસનો ચુકાદો તા. 30મીના રોજ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવે તેવી શકયતા છે. ત્યારે શ્રી કૃષ્મ જન્મભૂમિ મુદ્દે તા. 30મીના રોજ પ્રથમ સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેથી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code