
મંગ્લોર એરપોર્ટ પર રનવેથી બહાર નીકળ્યું એર ઈન્ડિયા એક્સપ્રેસનનું વિમાન, ટળી મોટી દુર્ઘટના
નવી દિલ્હી: મંગ્લોર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રવિવારે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી. દુબઈથી મંગ્લોર આવનારું એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન રનવેથી બહાર નીકળી ગયું હતું.

આ ઘટનાની જાણકારી સાથે જ એરપોર્ટ પર હડકંપ સર્જાયો હતો. મંગ્લોર એરપોર્ટના અધિકારી પ્રમાણે તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે, તેમને બહાર કાઢવામાં આવ્યા છે.
Mangalore Airport Official: IX384 Air India Express Dubai to Mangalore aircraft veered off the taxiway around 5:40 pm today. All passengers are safe & have been deboarded. More details awaited. pic.twitter.com/wHh4EAlH9G
— ANI (@ANI) June 30, 2019
એક ન્યૂઝ એજન્સી પ્રમાણે, એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાનું કહેવું છે કે વિમાનમાં બેઠેલા તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. એન્જિનિયર વિમાનની તપાસ કરી રહ્યા છે.
તપાસ માટે એક આંતરીક સમિતિની પણ રચના કરવામાં આવી છે. ડીજીસીએને આના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે. તપાસ બાદ જ સામે આવશે કે ક્યાં કારણથી વિમાન રનવેથી આગળ નીકળી ગયું હતું.