![ભારતની પરમાણુ શસ્ત્ર પહેલા નહીં વાપરવાની હાલની નીતિ સ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે: રાજનાથ સિંહ](https://hindi.revoi.in/wp-content/uploads/2019/08/rajnath2.jpg)
ભારતની પરમાણુ શસ્ત્ર પહેલા નહીં વાપરવાની હાલની નીતિ સ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે: રાજનાથ સિંહ
પાકિસ્તાન દ્વારા ભારતને છાશવારે ન્યૂક્લિયર એટેકની ધમકીઓ આપવામાં આવતી રહે છે. પરંતુ પોખરણમાં 1974 અને 1998માં ન્યૂક્લિયર ટેસ્ટ કરનાર ભારતના ઈરાદા તેના કોડનેમ બુદ્ધ-1 અને બુદ્ધ-2માં જ સ્પષ્ટ છે કે હિંસાચારની ભારતની કોઈ મનસા નથી અને પહેલા ન્યૂક્લિયર વેપન્સ નહીં વાપરવાની અત્યાર સુધીની ભારતની સંકલ્પબદ્ધતા છે.
#WATCH: Defence Minister Rajnath Singh says in Pokhran, "Till today, our nuclear policy is 'No First Use'. What happens in the future depends on the circumstances." pic.twitter.com/fXKsesHA6A
— ANI (@ANI) August 16, 2019
પરંતુ પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ અને પરમાણુ હુમલાની ધમકીઓ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શુક્રવારે સૂચક નિવેદન કર્યું છે કે ભારત પરમાણુ હથિયારોનો પહેલા ઉપયોગ નહીં કરવા સાથે જોડાયેલી પોતાની નીતિને બદલી પણ શકે છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પોખરણમાં કહ્યુ છે કે પરમાણુ શસ્ત્રોને લઈને અત્યાર સુધી આપણી નીતિ પહેલા ઉપયોગ નહીં કરવાની રહી છે. હવે ભવિષ્યમાં શું થાય છે, તે તે વખતની પરિસ્થિતિ પર નિર્ભર કરે છે.