1. Home
  2. revoinews
  3. ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ફેમ એકટર સમીર શર્માનો ગળે ફાંસો ખાઈ આપધાત
‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ફેમ એકટર સમીર શર્માનો ગળે ફાંસો ખાઈ આપધાત

‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ફેમ એકટર સમીર શર્માનો ગળે ફાંસો ખાઈ આપધાત

0
Social Share
  • ટીવી એક્ટર સમીર શર્માએ કરી આત્મહત્યા
  • પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા
  • ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ , ‘યે રિશ્તે હૈ પ્યાર કે,વગેરે સીરીયલમાં કામ કર્યું હતું

 

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતનો કેસ હજુ અસમંજસમાં જ પડ્યો છે ત્યાં આજે વધુ એક અભિનેતાએ આત્મહત્યા કર્યાના સમાચાર મળી રહ્યા છે. જાણીતા ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરી લીધી છે. 44 વર્ષીય સમીર શર્માએ બુધવારે રાતે મલાડમાં આવેલા નેહા સીએચએસ બિલ્ડિંગમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ પોલીસને મળતા પોલીસકાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો. તેમજ ફૉરેન્સિક ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી છે. પરંતુ આપઘાતના શા માટે કર્યો તેનું કોઈકારણની હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે ઘરમાં સુસાઇડ નોટની પણ તપાસ કરી છે.

હાલમાં સમીર ‘યે રિશ્તે હૈં પ્યાર કે’માં કુહૂ ના પિતાનો રોલમાં જોવા મળતો હતો. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’માં અક્ષરાના ભાઈની ભૂમિકા પણ સમીરે ભજવી હતી. સમીરે અચલા શર્મા સાથે લગ્ન કર્યા હતા. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી બંને અલગ રહેતા હતા.

સમીર શર્માએ સીરિયલ ‘યે રિશ્તે હૈ પ્યાર કે,’ ‘કહાની ઘર ઘર કી,’ ‘લેફ્ટ રાઉટ લેફ્ટ,’ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’ જેવી પ્રસિદ્ધ ટીવી સીરિયલમાં કામ કર્યું હતું.

સમીર શર્મા મૂળ દિલ્હીનો વતની હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ તે બેંગલુરુ ગયો હતો અને અહીંયા તેણે એડ એજન્સીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે એક્ટિંગ વર્લ્ડમાં નસીબ અજમાવવા માટે મુંબઈ આવી ગયો હતો.

મલાડ પોલીસના જણાવ્યા પ્રમાણે, સમીરે આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ફ્લેટ ભાડા પર લીધો હતો. રાત્રે ફરજ દરમિયાન સોસાયટીના ચોકીદારે મૃતદેહ જોયો હતો, જે બાદમાં ચોકીદારે આ અંગેની જાણ સોસાયટીના બીજા લોકોને કરી હતી. લાશની હાલત જોઈને પોલીસને આશંકા છે કે સમીરે એક દિવસ પહેલા આપઘાત કરી લીધો હશે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

2020નું વર્ષ ફિલ્મી જગત હોય કે ટીવી જગત, દેશ હોય કે દૂનિયા તમામ માટે ખુબ જ ખરાબ સાબિત થયું છે. તેમાં પણ ફિલ્મી અને ટીવી જગતમાં આ વર્ષ ખુબ જ ખરાબ સાબિત થઈ રહ્યું છે. આ જ વર્ષમાં કેટલાક દિગ્ગજ અભિનેતાઓના મોત થયા છે. તો કેટલાક અભિનેતાઓ આત્મહત્યા કરી રહ્યા છે.

_DEVANSHI

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code