Homerevoinewsભારતમાં બનાવેલી વેક્સીન કુવૈત પહોંચી, વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને આપી માહિતી

ભારતમાં બનાવેલી વેક્સીન કુવૈત પહોંચી, વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને આપી માહિતી

  • ભારતે મિશન વેક્સીન મૈત્રીની કરી શરૂઆત
  • ભારતમાં બનાવેલી વેક્સીન કુવૈત પહોંચી
  • વિદેશમંત્રીએ ટવિટ કરીને આપી માહિતી

ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસ મહામારી સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જે બાદ ભારતે ‘મિશન મૈત્રી’ અંતર્ગત હવે અન્ય દેશોને પણ વેક્સીનનો ડોઝ આપવાનું શરૂ કર્યું છે. ખાડી દેશ કુવૈતને ભારતની વેક્સીન મળી છે. અત્યાર સુધીમાં ભારત સરકારે શ્રીલંકા, ભૂટાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ જેવા પાડોશી દેશોને પણ વેક્સીન પહોંચાડી છે.

ભારતે પાડોશી દેશોની સાથે અન્ય દેશોમાં પણ કોરોના વેક્સીન આપવા માટે મિશન વેક્સીન મૈત્રીની શરૂઆત કરી છે. જે અંતર્ગત સોમવારે ભારતમાં બનાવવામાં આવતી વેક્સીનની ખેપ કુવૈત પહોંચી ચૂકી છે. વિદેશમંત્રી ડો.એસ.જયશંકરે ટવિટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે જયશંકરને ટ્વિટ કર્યું હતું કે,’અમારી ધનિષ્ઠ મિત્રતા અને મજબૂત સંબંધોને કારણે ભારતમાં બનાવવામાં આવતી વેક્સીન કુવૈત આવી ગઈ છે.’

સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એન્ટોનિયો ગુતારેસે કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે ઘણા દેશોમાં વેક્સીન પ્રદાન કરવાના ભારતના પગલાની પ્રશંસા કરતાં કહ્યું કે, ભારતની વેક્સીન નિર્માણ ક્ષમતા આજે દુનિયાની સર્વશ્રેષ્ઠ મૂડીઓમાંની એક છે. ગુતારેસે આશા વ્યક્ત કરી કે, ભારત પાસે તમામ જરૂરી સંસાધનો હશે જે વૈશ્વિક રસીકરણ અભિયાનને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ભારતે ગુરુવારે મૈત્રી વેક્સીન અભિયાન અંતર્ગત શ્રીલંકામાં કોરોના વાયરસ વેક્સીનના પાંચ લાખ ડોઝ અને બહરીનને એક લાખ ડોઝની ખેપ મોકલી હતી. ભારતે તેની ‘પાડોશી પહેલી ‘ નીતિ હેઠળ શ્રીલંકાને વેક્સીન દાન આપી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments