1. Home
  2. Tag "pakistan"

આર્ટિકલ 370: 2014માં જ રામ માધવે કહ્યુ હતુ પીઓકે પણ લઈ લઈશું, પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારીનો દાવો

ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈકમિશનર અબ્દુલ બાસિતે કહ્યુ છે કે જ્યારે તેઓ ભારતમાં કામ કરી રહ્યા હતા, તો ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે તેમને કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35-એ સમાપ્ત થશે. ભારત પીઓકે પણ પાકિસ્તાન પાસેથી પાછું લેશે. જમ્મુ-કાશ્મીરને મળનારા વિશેષાધિકારોની સમાપ્તિના નિર્ણય બાદ પાકિસ્તાનમાં જોરદાર પ્રતિક્રિયા થઈ છે. પાકિસ્તાનમાં એક ટેલિવિઝન ચેનલના કાર્યક્રમમાં […]

આર્ટિકલ 370નો મામલો: પાકિસ્તાનમાં આજે સંસદનું સંયુક્ત સત્ર, ત્રણેય સૈન્ય પ્રમુખો હાજર

ઈસ્લામાબાદ: જમ્મુ-કાશ્મીર પર મોદી સરકારના નિર્ણયથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાની રાષ્ટ્રપ્રમુખ આરિફ અલ્વીએ મંગળવારે પાકિસ્તાની સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન તમામ સૈન્ય પ્રમુખોને પણ બોલાવવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા, પાકિસ્તાની વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ મુજાહિદ અનવર ખાન, પાકિસ્તાની નૌસેનાના પ્રમુખ […]

પાકિસ્તાન તૈયાર કરી રહ્યું છે તાલિબાનોની મદદથી નવો “કાશ્મીર પ્લાન”

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાવાળી કલમો-370 અને અનુચ્છેદ-35-એના ખાત્માના કેન્દ્ર સરકારના નિર્ણય વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ સરકારને સાવધાન કરી છે કે આગામી દિવસોમાં કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદી ઘટનાઓમાં તીવ્રતા આવી શકે છે. તેના માટે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સક્રિય તાલિબાનોની મદદ લેશે. અમેરિકાના સૈનિકોની અફઘાનિસ્તાનમાંથી રવાનગી બાદ તાલિબાનોનો અહીં દબદબો વધવાનો છે. પરંતુ પાકિસ્તાનની સેનાની મદદથી ભારતમાં […]

કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં હશે 20 જિલ્લા, લડાખમાં હવે 2 જિલ્લા

શ્રીનગર: રાષ્ટ્રપતિએ નોટિફિકેશન જાહેર કરીને જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા અનુચ્છેદ-370ને સમાપ્ત કરી દીધી છે. એટલે કે અનુચ્છેદ-370 ખંડ-1 સિવાયની તમામ જોગવાઈઓને સમાપ્ત કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યસભામાં સંકલ્પ રજૂ કર્યો હતો. નવા સરકારી આદેશ પ્રમાણે, હવે જમ્મુ-કાશ્મીરમાં 370ના તમામ ખંડ લાગુ નહીં થાય. માત્ર એક ખંડ પ્રભાવી રહેશે. બીજો […]

LIVE: રાજ્યસભામાં અમિત શાહે કલમ-370ને હટાવવા અને જમ્મુ-કાશ્મીરની પુનર્રચનાનો સંકલ્પ કર્યો રજૂ

રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કલમ-370 હટાવવાની ભલામણ કરી છે. તેની સાથે તેમણે જમ્મુ-કાશ્મીરની પુનર્રચનાનો સંકલ્પ રજૂ કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં વધારાના સુરક્ષાદળોની તેનાતીની સાથે જ હલચલ તેજ થઈ ગઈ છે. કાશ્મીરમાં ફોન બંધ કરી દેવામાં આવ્યા છે, મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓને બંધ કરવામાં આવી છે. ઘણાં રાજનેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. જમ્મુમાં પણ કંઈક આવી […]

કાશ્મીર મામલે પાકિસ્તાન સંસદીય સમિતિની આજે મહત્વની બેઠક, સંબંધોમાં ફરીથી તણાવ

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર વધી રહેલા તણાવને જોતા પાકિસ્તાન સંસદીય સમિતિની આજે મહત્વની બેઠક થઈ રહી છે. તેની અધ્યક્ષતા સૈયદ ફખર ઈમામ કરશે. આના સંદર્ભે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પાકિસ્તાને ફરી એકવાર દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે કાશ્મીર મુદ્દાનો રાગ આલાપ્યો છે. બેઠકમાં પાકિસ્તાને […]

કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક સમાપ્ત, થોડાક સમય બાદ બંને ગૃહોને સંબોધિત કરશે અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટની બેઠક, જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી બદલાતા ઘટનાક્રમ વચ્ચે દિલ્હીમાં ચાલી રહેલા કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક સમાપ્ત થઈ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હવે થોડાક સમય બાદ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રાજ્યસભામાં સવારે 11 વાગ્યે અને લોકસભામાં બપોરે બાર વાગ્યે સંબોધન કરશે. જો કે બેઠકમાં ક્યાં મુદ્દા […]

મધ્યસ્થતાની રટ પર ભારતની અમેરિકાને સીધી વાત, કાશ્મીર પર વાત થશે, તો માત્ર પાકિસ્તાન સાથે

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાશ્મીર પર મધ્યસ્થતાના પ્રસ્તાવ આપ્યા બાદ શુક્રવારે જ્યારે ભારત અને અમેરિકાના વિદેશ પ્રધાન આમને-સામને બેઠા તો આનો પણ ઉલ્લેખ થયો હતો. આ દરમિયાન ભારતે અમેરિકાને સ્પષ્ટપણે કહી દીધું છે કે કાશ્મીર પર વાતચીતની જો જરૂરત પડશે, તો તે માત્ર પાકિસ્તાન સાથે થશે અને માત્ર દ્વિપક્ષીય થશે. આસિયાનની એક […]

શોપિયાંમાં જૈશ-એ-મોહમ્મદનો ટોચના પાકિસ્તાની આતંકી મુન્ના લાહૌરી સહીત બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે શનિવારે સવારે થયેલી અથડામણમાં ગ્લોબલ ટેરરિસ્ટ પાકિસ્તાની અઝહર મસૂદના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોચના પાકિસ્તાની કમાન્ડર મુન્ના લાહોરી સહીત ત્રણ આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. પોલીસ પ્રમામે લાહૌરી ઉર્ફે બિહારી કાશ્મીરમાં ઘણાં લોકોની હત્યામાં સંડોવાયેલો હતો. પોલીસના એક અધિકારી પ્રમાણે, અન્ય આતંકી લાહૌરીનો સાથી હતો અને તે કાશ્મીરનો જ […]

અશક્ય છે કે મોદી કાશ્મીર પર કોઈને મધ્યસ્થતા માટે કહેશે: કોંગ્રેસના નેતા શશી થરુર

નવી દિલ્હી  : કોંગ્રેસના નેતા શશી થરુરે નિવેદન આપ્યું છે કે આ અશક્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરના મુદ્દા પર કોઈ ત્રીજા પક્ષને મધ્યસ્થતા માટે કહેશે. થરુરે આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એ વિવાદીત ટીપ્પણી બાદ આપ્યું છે કે જેમાં ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની મુલાકાત બાદ કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code