1. Home
  2. revoinews
  3. COVID-19: 54% ગુજરાતીઓને લગ્નમાં જતા જ બીક લાગે છે: ઑનલાઇન સર્વે
COVID-19: 54% ગુજરાતીઓને લગ્નમાં જતા જ બીક લાગે છે: ઑનલાઇન સર્વે

COVID-19: 54% ગુજરાતીઓને લગ્નમાં જતા જ બીક લાગે છે: ઑનલાઇન સર્વે

0
Social Share
  • કોરોના મહામારી દરમિયાન લગ્ન સમારોહના આયોજનને લઇને કરાયો સર્વે
  • સર્વે અનુસાર 54 ટકા ગુજરાતીઓને લગ્નમાં જતા જ ભય લાગે છે
  • આ સર્વેમાં સમગ્ર ગુજરાતમાંથી 750 લોકોને આવરી લેવાયા

અમદાવાદ: કોરોના વાયરસ મહામારીની બીજી લહેર ગુજરાત અને દેશના ઘણા ભાગોમાં કહેર મચાવી રહી છે જેના કારણે ગુજરાત સરકારે સામાજીક મેળાવડા માટેની કોરોનાની ગાઇડલાઇન્સમાં ફેરફાર કરવાની તેમજ લગ્નમાં આમંત્રિતોની સંખ્યા મર્યાદિત કરવાની ફરજ પડી હતી. ગુજરાત સરકારે તાજેતરમાં જ લગ્નમાં હાજરી આપવા લોકોની સંખ્યાની મર્યાદામાં ઘટાડો કર્યો હતો, જેને 200થી ઘટાડીને 100 વ્યક્તિઓ કરી દેવામાં આવી છે.

કોરોના મહામારી વચ્ચે લગ્ન સમારોહને લઇને એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે અનુસાર લોકો હાલ લગ્નમાં જવાથી અચકાય છે અને માને છે કે તેમાં જવું વધુ જોખમ ભરેલું છે. ઑનલાઇન કોમ્યુનિટી લોકલ સર્કલ દ્વારા કરાયેલા એક સર્વે પ્રમાણે 54% ગુજરાતીઓને લાગે છે કે લગ્નમાં ભાગ લેવો એટલે સામે ચાલીને કોરોનાને આમંત્રણ આપવા જેવું છે.

આ સર્વેમાં સમગ્ર ગુજરાતમાંથી 750 લોકોને આવરી લેવાયા હતા.

સર્વેમાં સામેલ લોકોને  નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં લગ્નમાં જવાના પ્લાન વિશે પૂછાતા 48 ટકા લોકોએ કહ્યું હતું કે તેમની પાસે આ વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં આવા કોઇ પ્રસંગ માટેનું આમંત્રણ જ નથી. જ્યારે 26 ટકા એવા પણ લોકો છે જેમના પરિવાર કે સંબંધીના ઘરે પ્રસંગ તો છે અને તેમને આમંત્રણ પણ મળ્યું છે પરંતુ તેમણે કોરોના મહામારીને ધ્યાને લઇને આ સમારંભમાં ભાગ લેવાનું ટાળી દીધું છે.

તેમાંથી 10 ટકા લોકો એવા પણ છે જેમણે કહ્યું કે હજુ સુધી તો લગ્નમાં ગયા નથી પરંતુ આગામી દિવસોમાં તેઓ કોઇક લગ્ન કે સગાઇ જેવા પારિવારિક પ્રસંગમાં જઇ શકે છે. તો 8 ટકા લોકો એવા પણ છે જેમણે સુર વ્યક્ત કર્યો હતો કે તેમણે લગ્ન અને સગાઇ જેવા પારિવારિક સમારંભ એટેન્ડ કર્યા છે અને હજુ પણ આગામી સમયમાં તેઓ આવા કાર્યક્રમમાં જવા માટે તૈયારી કરી રહ્યા છે.

6% એવા લોકોએ તેમણે કહ્યું કે બસ અમે હાલ જ આવા એક પ્રસંગમાં જઈને આવ્યા અને હવે બીજે ક્યાંય જવા માગતા નથી. જ્યારે 2% એ કહ્યું કે હાલ આ મામલે તેઓ કંઈ કહી શકે નહીં.

સર્વેમાં આવરી લેવાયા લોકોને લગ્ન તેમજ પારિવારિક સમારંભમાં જોડાવા અંગેની પૂછાતા 54 ટકા લોકોએ કહ્યું હતું કે આવા પ્રસંગમાં જવું એટલે ખૂબજ મોટું જોખમ છે અને તેઓ જશે તો તમામ પ્રકારની તકેદારી રાખશે.

14 ટકા લોકોને કહેવું હતું કે પ્રસંગ તેમના ખૂબ જ નજીકના પરિવારોમાં છે અને તેમને તમામ લોકોની મેડિકલ હિસ્ટ્રીની જાણ હોવાથી ભય વધુ નથી પરંતુ તેમ છત્તાં અમે તમામ પ્રકારની તકેદારી રાખીશું. જ્યારે 14 ટકાએ કહ્યું કે આવા લગ્નમાં ખૂબ જ નજીકના લોકો જ હાજરી આપતા હોવાથી કોરોનાનો ભય સાવ નજીવો છે અને તેથી ચિંતા કરવાનું કોઈ કારણ નથી.

જ્યારે 9% એવા લોકો પણ છે જેમણે કહ્યું કે આવા લગ્ન પ્રસંગમાં ભાગ લેવામાં કોઈ ભય જેવું છે જ નહીં. તો 5% લોકોનું કહેવું છે કે આ અંગે કંઈ કહી શકાય નહીં.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code