રાહુલ ગાંધીના દુ:ખ વ્યક્ત કર્યા બાદ કમલનાથે કહ્યુ, “ચૂંટણીમાં હાર માટે હું જવાબદાર”

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના દુખ વ્યક્ત કર્યા બાદ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી લીધી છે. તેમણે કહ્યુ છે કે તેઓ આ હાર માટે જવાબદાર છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપવાના પોતાના નિર્ણય પર અડગ હોવાના સવાલ પર કમલનાથે કહ્યુ છે કે પાર્ટીના પ્રમુખ પદ માટે રાહુલ ગાંધી યોગ્ય વ્યક્તિ છે.

જ્યારે તેમને પુછવાં આવ્યું કે રાહુલ ગાંધી બાદ કોંગ્રેસ અધ્યક્ષ કોણ બનશે, તો તેમણે કહ્યુ હતુ કે તેમને કોઈ અન્ય નેતાના કોંગ્રેસ અધ્યક્ષ બનવાની જાણકારી નથી.

RELATED ARTICLES

Most Popular