1. Home
  2. revoinews
  3. કલમ-370 હટવા પર અડવાણીએ મોદી-શાહને આપ્યા અભિનંદન, કહ્યુ- જનસંઘનો સંકલ્પ થયો પૂર્ણ
કલમ-370 હટવા પર અડવાણીએ મોદી-શાહને આપ્યા અભિનંદન, કહ્યુ- જનસંઘનો સંકલ્પ થયો પૂર્ણ

કલમ-370 હટવા પર અડવાણીએ મોદી-શાહને આપ્યા અભિનંદન, કહ્યુ- જનસંઘનો સંકલ્પ થયો પૂર્ણ

0
Social Share

કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને કલમ-370 હેઠળ મળનારા વિશેષાધિકારને પાછા ખેંચી લીધા છે. મોદી સરકારના આ પગલાને ઐતિહાસિક માનવામાં આવે છે. કોંગ્રેસને બાદ કરતા વિપક્ષની ઘણી પાર્ટીઓ આ નિર્ણયના ટેકામાં છે. તો ભાજપ આને પોતાના સંકલ્પનો નિર્ણય ગણાવી રહ્યું છે. ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના લૌહપુરુષ ગણાતા લાલકૃષ્ણ અડવાણીએ પણ મોદી સરકારના આ નિર્ણયને આવકારીને અભિનંદન આપ્યા છે.

અડવાણીએ સોમવારે નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે અનુચ્છેદ-370ને હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું તેઓ સ્વાગત કરે છે, દેશની એકતાને મજબૂત કરવા તરફ આ ઐતિહાસિક નિર્ણય છે.

અડવાણીએ લખ્યુ છે કે અનુચ્છેદ-370ને હટાવવાનો ભાજપનો સંકલ્પ રહ્યો છે. જનસંઘના જમાનાથી આ અમારા સંકલ્પમાં છે. તેમણે લખ્યું છે કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને આ ઐતિહાસિક નિર્ણય માટે અભિનંદન આપું છું. તેમણે લખ્યું છે કે તેઓ જમ્મુ-કાશ્મીર અને લડાખમાં શાંતિ અને વિકાસની પ્રાર્થના કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code