1. Home
  2. revoinews
  3. ફિલ્મ ‘દોસ્તાના 2’ માં કાર્તિક આર્યનની જગ્યાએ જોવા મળી શકે છે વિકી કૌશલ અથવા રાજકુમાર રાવ, રિકાસ્ટિગંની તૈયારીઓ શરુ
ફિલ્મ ‘દોસ્તાના 2’ માં કાર્તિક આર્યનની જગ્યાએ જોવા મળી શકે છે વિકી કૌશલ અથવા રાજકુમાર રાવ, રિકાસ્ટિગંની તૈયારીઓ શરુ

ફિલ્મ ‘દોસ્તાના 2’ માં કાર્તિક આર્યનની જગ્યાએ જોવા મળી શકે છે વિકી કૌશલ અથવા રાજકુમાર રાવ, રિકાસ્ટિગંની તૈયારીઓ શરુ

0
Social Share
  • દોસ્તાના 2 માટે કાર્તિકના રિપ્લેસમેન્ટની કામગીરી શરુ
  • ટવિકી કૌશલ-રાજકુમાર ફિલ્મમાં કરી શકે છે એન્ટ્રી

મુંબઈઃ- કરણ જોહર ધર્મા પ્રોડક્શન બેનર હેઠળ બનનારી ફિલ્મ ‘દોસ્તાના-2’માં સૌથી પહેલા કાર્તિક આર્યને કાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મનું 20 જિલસનું શૂટિંગ પણ શરુ કરવામાં આવી ચૂક્યું હતું ,જો કે ત્યાર બાદ અનેક કારણોસર કરણે કાર્તિક આર્યનને ફિલ્મમાંથી હાકી કાઢ્યો હતો, ત્યારે હવે કાર્તિક આર્યનના રિપ્લેસમેન્ટ કરવાની કામગીરી શરુ કરવામાં આવી ચૂકી છે.

હવે ફિલ્મ મેકર્સને અભિનેતાની પસંદગી કરવા માટે ભઆરે જહેમત ઉછાવવી પડશે, કારણ કે કાર્તિકની ઈમેજ સ્ટ્રોંગ હતી ,છેલ્લા ઘણા ટાઈમથી તે ચર્ચિત લોકપ્રિય અભિનેતા સાબિત થયો છે, ખાસ કરીને દોસ્તાના માટે જે રોલ પસંદ કરવાનો છે તે ખૂબ અધરો રોલ છે, ફિમેલમાં રસ ધરાવતા એક્ટરનો રોલ કરવા માટે હવે કાર્તિકનું રિપ્લેસમેન્ટ થી રહ્યું છે,

ત્યારે હવે આ રોલ માટે રાજકુમાર રાવ અને વિકી કૌશલને પસંદ કરવાની અટકળોએ જોર પકડ્યું છે.આ બન્ને એક્ટર એક બીજાને ફિલ્મી જહતમાં કાટાની ટક્કર આપી રહ્યા છે, આથી ખાસ વાત એ છે કે, બન્ને એક્ટરમાં ફિમેલ ફેન બેઝ પણ જોવા મળે છે. મનમર્ઝિયા ફિલ્મમાં તેની એક્ટિંગના કારણે ફીમેલ ફેન બેઝમાં વધારો થયો છે.આ સ્થિતને જોતા કાર્તિકના જગ્યા વિકી કૌશલ લઈ શકે છે.

.જો કે બીજી તરફ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટાઈગર શ્રોફ અને વરુણ ધવન અથવા સિદ્ધાર્થ મલ્હોત્રાના નામ પણ લીસ્ટમાં જોવા મળે છે. જો કે આ એક્ટર્સની ઈમેજને લઈને વિચાર કરવો પડે તેમ છે.

તો બીજી તરફ  વરુણ ધવનને લાવા માટે પ્રોડક્શને વધુ પેમેન્ટ કરવું પડે તેમ છે, જ્યારે આ ફિલ્મમાં કંપનીને પહેલાથી જ 20 કરોડનું નુકસાન થયું છે. ત્યારે કેપની આ બજેટ નહી ઉઠાવે તેવી શક્યતાઓ વચ્ચે વરુણને લેવાના નહીવત ચાન્સ જોવા મળે છે.

જો કે સુત્રોની વાત માનીએ તો સિદ્ધાર્થ મલહોત્રા કરણ જોહરની ખૂબ નજીક છે તેથી તે સિદ્ધાર્થની પસંદગી કરી શકે છે,જો કે આ સમગ્ર બાબતને લઈને હજી સુધી કોી ચોક્કસ માહગિતી સામે આવી રહી નથી.ત્યારે જોવું રહ્યું કે કાર્તિક જેવા સારા કલાકરના સ્થાને હવે કરમ જોહર કોની પસંદગી કરશે ્ને શું તે એક્ટર ફિલ્મના રોલને ન્યાય આપી શકશે કે કેમ?

 

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code