1. Home
  2. revoinews
  3. ઈડલી-સંભાર ખાતા હોવ તો હવે ચેતી જજો,તમને થઈ શકે છે આ ગંભીર બીમારી
ઈડલી-સંભાર ખાતા હોવ તો હવે ચેતી જજો,તમને થઈ શકે છે આ ગંભીર બીમારી

ઈડલી-સંભાર ખાતા હોવ તો હવે ચેતી જજો,તમને થઈ શકે છે આ ગંભીર બીમારી

0
Social Share

અમેરીકી ફૂડ નિયામક સંસ્થાએ ભારતની આ લોકપ્રિય કંપનીના સાંભાર મસાલામાં સાલ્મોનેલા નામના બેક્ટેરીયા મળી આવ્યા છે,ભારતની લોકપ્રિય મસાલા કંપનીનું આ ઉત્પાદન ઉત્તરી કૈલિફોર્નિયા સ્થિત રિટેલ સ્ટોરમાં વેચવામાં આવી રહ્યા છે

ભારતમાં ખૂબ જ પ્રખ્યાત એવી મસાલાની બ્રાન્ડને અમેરિકામાં ખાસ મસાલાને પાછો ખેંચી લેવો પડ્યો છે.હકીકતમાં,અમેરિકન ફૂડ રેગ્યુલેટરને આ લોકપ્રિય ભારતીય કંપનીના સાંભરના મસાલામાં ‘સાલ્મોનેલા’ નામના બેક્ટેરિયા મળ્યા છે. યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટીએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રમાણિત લેબમાં તપાસ કર્યા પછી, મસાલામાં ‘સાલ્મોનેલ્લા’ બેક્ટેરિયા હોવાની માહિતી મળી છે. એફડીએએ માર્કેટમાં ફરિયાદ બાદ તેની તપાસ શરૂ કરી હતી. તપાસમાં બેક્ટેરિયાની પુષ્ટિ થયા બાદ કંપનીએ તે મસાલા પાછા ખેંચ્યા હતા.

અંગ્રેજી સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર ભારતની લોકપ્રિય મસાલા કંપનીના આ ઉત્પાદનો ઉત્તરી કેલિફોર્નિયામાં રિટેલ સ્ટોરમાં વેચાઇ રહ્યા હતા. જો કે, આવું પ્રથમવાર નથી બન્યું કે જ્યારે અમેરિકન ફૂડ નિયામક દ્વારા કંપનીના મસાલામાં ‘સlલ્મોનેલા’ બેક્ટેરિયા હોવાની ફરિયાદ કરવામાં આવી હોય. 2016 થી 2018 વચ્ચે, આ નિયમનકારે લગભગ 20 વખત આ પ્રકારના મસાલાની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.

સાલ્મોનેલા નામના બેક્ટેરિયાથી થી શકે છે આ પ્રકારના રોગો

‘સાલ્મોનેલા’ બેક્ટેરિયાથી થતાં રોગના શરુતના લક્ષણોમાં ઝાડા થવા,મરડો થવો,અને 12 થી 72 કલાકની અંદર તાવ આવી શકે છે, જે 4 થી 7 દિવસ સુધી રહે છે.સાલ્મોનેલોસિસની સારવાર મોટાભાગના કેસોમાં કરવામાં આવે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં, ઝાડાને પરિણામે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. તેના ખતરનાક સ્ટેજ પર પહોંચ્યા પછી, દર્દીને વધુ પડતો તાવ, માથાનો દુખાવો, થાક, પેશાબમાં લોહી આવે છે. આ રોગ બાળકો, પુખ્ત વયના અથવા વૃદ્ધ લોકોમાં થઈ શકે છે,જેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code