1. Home
  2. revoinews
  3. આજથી સમગ્ર દેશમાં કોરોનાની નવી ગાઈડલાઈ અમલી બનશે -જાણો ક્યા લાગી પાબંધિઓ અને કોને મળી છૂટછાટ
આજથી સમગ્ર દેશમાં કોરોનાની નવી ગાઈડલાઈ અમલી બનશે -જાણો ક્યા લાગી પાબંધિઓ અને કોને મળી છૂટછાટ

આજથી સમગ્ર દેશમાં કોરોનાની નવી ગાઈડલાઈ અમલી બનશે -જાણો ક્યા લાગી પાબંધિઓ અને કોને મળી છૂટછાટ

0
Social Share
  • આજથી સમગ્ર દેશમાં કોરોનાની નવી ગાઈડલાઈ અમલી
  • અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવી શકે છે
  • આજથી મોનિટરિંગ, નિવારણ અને સાવચેતી’ માટેના દિશા-નિર્દેશ જારી

દિલ્હીઃ- આજ રોજ 1લી ડિસેમ્બરથી સમગ્ર  દેશભરમાં કોરોનાની નવી માર્ગદર્શિકા લાગુ કરવામાં આવી ચૂકી છે. નવા રજુ કરવામાં આવેલા દિશાનિર્દેશો હેઠળ, કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કે જ્યાં કોરોનાના કેસનો વ્યાપ વધી રહ્યો છે ત્યા નાઇટ કર્ફ્યુ જેવા પ્રતિબંધો લાગુ કરવામાં આવી શકે છે. ગૃહ મંત્રાલયે 1લી ડિસેમ્બર માટે ‘મોનિટરિંગ, નિવારણ અને સાવચેતી’ માટેના દિશા-નિર્દેશ જારી કરી દીધા છ

આ બાબતે ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, તમામ કોરોના સંક્રિમતોની એક યાદી બનાવવામાં આવશે અને  જે પણ લોકો તેમના સંપર્કમાં આવ્યા હશે તે તમામને ક્વોરોન્ટાઈન કરવામાં આવશે, સંકર્મણના કેસ બાબતે 14 દિવસ સુધી નજર રાખવામાં આવશે, આ સાથે જ કોરોના ગ્રસ્ત દર્દીના કોન્ટેક્ટમાં આવનારા 80 ટકા લોકોની ભાળ માત્ર 72 કલાક અંદર મેળવવામાં આવશે.

જાણો કોરોના બાબતની નવી ગાઈડલાઈન

  • કેન્દ્ર સરકાર દ્નારા કોરોના બાબતે નવી માર્ગદર્શિકા રજુ કરવામાં આવી છે
  • આ નવી ગાઈડલાઈન પ્રમાણે કોરોના દર્દીઓની શર્ત પુરી કરવા પર તરત ઘરે જ આઈસોલેટ કરવા અને તેમની સાર-સંભાળ રાખવાની તમામ વ્યવસ્થા કરવામાં આવશે
  • કોરોનાને લઈને તમામા બાબતે લોકરોને જગૃત કરવામાં આવશે
  • ભીળભાડ વાળઈ જગ્યાઓ, માર્કેટ. હાટ બજાર ને સાર્વજનિક પરિવહનમાં  યોગ્ય અંતર જાળવાવનું પાલન કરવું પડશે
  • રોકથામની રણનીતિમાં મોનિટરિંગ તથા અન્ય ઉપાયો પર ધ્યાન આપવું જોઈએ
  • કેન્દ્ર સાશિત પ્રદેશો અને અન્ય રાજ્યોમાં કોવિડ 19સંક્રમણને રોકવા માટે નાઈટ કર્ફ્યૂની પાબંધિ લગાવવામાં આવી શકે છે
  • આ બાબતોમાં કેન્દ્ર સરકારે પી છૂટછાટ
  • પ્રતતિબંધિત વિસ્તારોની બહારની કેટલીક પ્રવૃત્તિઓને શરત સાથે પરવાનગી આપવામાં છે.
  • સિનેમા હોલ અને થિયેટરોમાં 50 ટકા બેઠક વ્યવસ્થા સાથે  ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
  • સામાજિક, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મેળાવડાની સ્થિતિમાં, મહત્તમ 50 ટકા ક્ષમતા સાથે 200 જેટલા લોકોને મંજૂરી છેપરિસ્થિતિને આધારે, રાજ્ય સરકારો બંધ સ્થળોએ લોકોની સંખ્યા 100 સુધી મર્યાદિત કરી શકે છે.
  • રાજ્યોમાં અને રાજ્યોની બહાર સામાન લાવવા લઈ જવા બાબતે કોઈ પણ પ્રતિબંધ રહેશે નહીં.
  • લોકોની અવરજવર માટે કોઈ અલગથી પરમિટ કે પરવાનગીની જરૂર રહેશે નહીં.
  • કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પ્રતિબંધો ચાલુ રહેશે
  •  કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફક્ત જરૂરી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે અને તેના ક્ષેત્રના લોકોની ગતિવિધિઓ નજદર રખાશે આ સાથે જ લોકોની અવર જવર પર પ્રતિબંધો લાદવામાં આવશે.
  • ફક્ત કટોકટીની તબીબી આવશ્યકતાઓ અને જીવન માટે જરૂરી પુરવઠો અને સેવા પુરવઠાને મંજૂરી આપવામાં આવશે.
  • સંક્રમિત લોકોની ભાળ મેળવવા બાબતે સ્વાસ્થ્ય ટીમ ઘરે ઘરે જઈને કરશે સર્વે
  • સંક્રમિત લોકોને નજર હેછળ રાખવામાં આવશે, તેમના સંપર્કમાં આવતા લોકોની યાદી બનાવાશે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code