1. Home
  2. Revoi

Revoi

અગસ્તા વેસ્ટલેન્ડ કેસ : જેલમાં જ રહેશે વચેટિયો ખ્રિશ્ચિયન મિશેલ, જામીન પર સુનાવણી ટળી

અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ખરીદીના 3600 કરોડ રૂપિયાના સોદા સંબંધિત મામલામાં કથિત વચેટિયા ખ્રિશ્ચિયન મિશેલની જામીન અરજી પર દિલ્હીની રૉઉજ એવેન્યૂ કોર્ટમાં સુનાવણી ટળી છે. સુનાવણી ઈડીની માગણી પર ટાળવામાં આવી છે. કોર્ટે હવે 28 ઓગસ્ટે આ મામલે સુનાવણી કરવાનું નિર્ધારીત કર્યું છે. મિશેલે પોતાની અરજીમાં કહ્યુ છે કે તેની સાથે જોડાયેલી તપાસ પુરી થઈ […]

1968માં ક્રેશ થયેલું IAF નું AN-12 વિમાન 51 વર્ષ પછી ગ્લેશિયરમાંથી મળી આવ્યું

51 વર્ષ પહેલા ક્રેશ થયેલું ભારતીય વાયુસેનાના  વિમાનનો કાટમાળ હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાંથી મળી આવ્યું છે. આ વિમાન પણ એએન-12 બીએલ-545 હતું. આ વિમાન પાંચ દશક પહેલાં ગુમ થઈ ગયું હતું જેને ઘણા પ્રયત્નો પછી પણ શોધી શકાયું નહોતું.આ ઉપરાંત  લગભગ 94 સંરક્ષણ જવાનો આ વિમાનમાં સવાર હતા તેઓ વિશે પણ વધુ માહિતી મળી શકી […]

PM મોદી ફ્રાંસ, યુએઈ, બહેરીનની મુલાકાતે જશે, G-7 બેઠકમાં પણ લેશે ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ઓગસ્ટથી 27 ઓગસ્ટ વચ્ચે ફ્રાંસ, બહરીન, યુએઈ અને જી-7ની બેઠકમાં સામેલ થશે. પીએમ મોદી ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોંના નિમંત્રણ પર ત્યાં જશે. પીએમ મોદી 22 ઓગસ્ટની સાંજે ફ્રાંસ પહોંચશે. 23 ઓગસ્ટે પીએમ મોદી યુનેસ્કો ભવનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. ફ્રાંસની મુલાકાત બાદ પીએમ મોદી યુએઈ જશે. યુએઈ બાદ પીએમ મોદી બહરીનની […]

UPAના કાર્યકાળમાં એર ઈન્ડિયા માટે 111 વિમાનોના સોદામાં ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને ઈડીનું સમન્સ

નવી દિલ્હી : યુપીના કાર્યકાળમાં એર ઈન્ડિયા માટે કરવામાં આવેલા 111 વિમાનોના સોદા સંદર્ભે કોંગ્રેસના નેતા અન ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને તપાસ એજન્સીએ શુક્રવારે રજૂ થવા માટે સમન મોકલ્યું છે. મહત્વપૂર્ણ છે કે એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના વિવાદાસ્પદ વિલય સહીત યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન ઓછામાં ઓછા ચાર સોદામાં અનિયમિતતાઓ અને મની લોન્ડ્રિંગના આરોપોની […]

ટાસ્ક ફોર્સે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને સોંપ્યો ડાયરેક્ટ ટેક્સમાં સુધારા સંબંધિત રિપોર્ટ

નવી દિલ્હી: સીબીડીટીના સદસ્ય અખિલેશ રંજનની અધ્યક્ષતામાં રચાયેલી ટાસ્ક ફોર્સે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને પોતાનો પ્રત્યક્ષ કર સંબંધિત રિપોર્ટ સોંપ્યો છે. નવો પ્રત્યક્ષ કર કોડ 1961ના પ્રવર્તમાન ઈન્કમટેક્સ અધિનિયમનું સ્થાન લેશે. 21 માસમાં કુલ 89 બેઠકો બાદ ટાસ્ક ફોર્સે આ રિપોર્ટ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને સોંપ્યો છે. માનવામાં આવે છે કે નજીકના ભવિષ્યમાં આ […]

બ્રિટને આઈએસના આતંકી ‘જેહાદી જેક’ની નાગરિકતા કરી રદ્દ, કેનેડાએ વ્યક્ત કરી નિરાશા

કેનેડાની સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે બ્રિટને આઈએસના આતંકવાદી જેક લેટ્સની નાગરિકતા રદ્દ કરી છે. બ્રિટનના આ નિર્ણયથી કેનેડા નિરાશ છે. કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર રાલ્ફ ગૂડલેએ કહ્યુ છે કે બ્રિટને આ એકતરફી નિર્ણય કર્યો છે. તેની સાથે જ બ્રિટને આવું કરીને પોતાની જવાબદારીથી પીછો છોડાવવાની કોશિશ કરી છે. જેકને મીડિયામાં જેહાદી […]

યૂપીમાં ટ્રીપલ તલાકની ઘટનાઃ પીડિતાએ ફરિયાદ કરતા સાસરીપક્ષે તેને જીવતી સળગાવી દીધી

ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જીલ્લામાં ગદરા ગામમાં એક 22 વર્ષિય મહિલાને તેના પતિ અને સાસરીવાળાએ મળીને પોતાની 5 વર્ષની પુત્રી સામે જ જીવતી સળગાવી દીધી હતી,આ ઘટનાને અંજામ 16 ઓગસ્ટની સાંજે ભિંગાપુર થાણા વિસ્તારમાં આપવામાં આવ્યો હતો, પિડીતાના પિતા રમઝાન ખાને આરોપ લગાવ્યો છે, કે તેમનો જમાઈ મુંબઈમાં કામ કરે છે,અને તેણે 6 ઓગસ્ટના રોજ પોતાની […]

દુબઈમાં રહેનાર NRI ભારતમાં 5અરબ ડોલરનું રોકાણઃજાણો કોણ છે આ અરબપતિ અને શેમાં કરી રહ્યા છે રોકાણ

એનઆરઆઈ અરબપતિ બીઆર.શેટ્ટી ભારતમાં 5 અરબ ડોલરનું રોકાણ કરવાની તૈયારીમાં છે,કર્ણાટકના ઉડ્ડૂપીના રહેનારા શેટ્ટી શરુઆતમાં જનસંઘના પદઅધિકારી તરીકે ફરજ બજાવી ચુક્યા છે,સમય જતા  જનસંઘ ભાજપા બની ગઈ હતી, શેટ્ટીના તરફથી સ્થાપિત વેંચર કેપિટલ ફંડ વીઆરએસ વેંચરના હેઠળ ખૂબજ મોટી ધનરાશીનું રોકાણ કરવામાં આવશે. આ રોકાણ હેલ્થ સેક્ટરમાં કરવામાં આવશે,હેલ્થકેયર ચેઈન હેઠળ આવનારા 5 વર્ષોમાં દેશભરમાં […]

યુપીના પ્રયાગરાજમાં એક દિવસમાં 6 હત્યાઓ બાદ એસએસપીને હટાવાયા

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક દિવસમાં છ હત્યાઓ પર યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. પ્રયાગરાજના એસએસપી અતુલ શર્માને હટાવી દેવામાં આવ્યા છે. અતુલ શર્માના સ્થાને સત્યાર્થ અનિરુદ્ધને પ્રયાગરાજના એસએસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલ અતુલ શર્માને યુપી ડીજીપી મુખ્યમથક ખાતે મોકલી દેવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે રવિવારે ધૂમનગંજના ચોકમાં ટ્રિપલ મર્ડર બાદ થરવઈમાં પતિ-પત્ની […]

કાશ્મીરની રાજનીતિમાં મોટો ભૂકંપ!, મુખ્યપ્રવાહમાં આવશે ભાગલાવાદી, પક્ષપલ્ટો કરશે મુખ્ય પક્ષોના નેતા?

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370ની જોગવાઈ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે રાજ્યની રાજનીતિમાં મોટું પરિવર્તન જોવા મળે તેવી શક્યતા છે. આ પરિવર્તન હેઠળ અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવાનું સપનું જોનારા ભાગલાવાદી મુખ્યધારાની રાજનીતિમાં સામેલ થાય તેવી શક્યતા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોને ટાંકીને અહેવાલમાં કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના વિભાજન અને ત્યાંથી કલમ-370ની જોગવાઈ હટાવાયા બાદ રાજ્યના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code