1. Home
  2. Revoi

Revoi

ભારે વરસાદને કારણે શિમલા હાઈવે બંધ, ચમ્બામાં લોખંડના સળિયાના કામચલાઉ પુલ પરથી કાર થઈ પસાર

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પહાડ ધસી રહ્યા છે. ભારે વરસાદને કારણે ચંબા જિલ્લામાં ભારંગલા નાળા પર બનેલો પુલ વહી ગયો છે. આ પુલ હાડસરના ભરમૌરને જોડે છે. આ સિવાય લેન્ડસ્લાઈડને કારણે શિમલા જિલ્લાના બદહાલ ગામમાં નેશનલ હાઈવે-5 બંધ કરવામાં આવ્યો છે. બંને સ્થાનો પર રાહત અને બચાવ કામગીરી થઈ રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ […]

રાહુલ ગાંધીની કાશ્મીર યાત્રા પર માયાવતી બોલ્યા- થોડી રાહ જોઈ લેવી જોઈએ

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહીત વિપક્ષના નેતાઓની કાશ્મીર મુલાકાત પર બીએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ નિશાન સાધ્યું છે. માયાવતીએ કહ્યું છે કે વગર મંજૂરીએ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના નેતાઓને કાશ્મીર જવું જોઈતું ન હતું. શું આ કેન્દ્ર અને ગવર્નરને રાજકારણનો મોકો આપતા નથી? તમામ પાર્ટીઓએ થોડી રાહ જોઈ લેવી જોઈએ. માયાવતીએ કહ્યું છે કે બાબાસાહેબ […]

જેટલીની કેટલીક વિશેષતાઓ, પાર્ટીને વર્તાશે ખોટઃબીજેપી માટે ‘સંકટમોચન’ હતા જેટલી

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અરુણ જેટલીનું નિધન પાર્ટી માટે મોટુ નુકશાન સાબિત થયુ છે, તેમણે ધણી વાર તેમની જવાબદારીઓ ખુબજ સારી રીતે નિભાનવી છે જેના કારણે જેટલીને પાર્ટીના સંકટમોચન કહેવામાં આવતા હતા. ત્યારે તેમના નિધનને લઈને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એટ્વિટ કરીને કહ્યું છે કે “તેઓ એક સ્પષ્ટ નેતા હતા,જે બૌદ્ધિક અને કાયદાકીય ક્ષેક્ષમાં […]

સરદાર સરોવર ડેમમાં પાણીના સ્તરના વધવાને કારણે મધ્યપ્રદેશના 10 હજારની વસ્તીવાળા કસબાના ડૂબવાનો ખતરો

ગુજરાતમાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર બંધમાં પાણીના વધતા સ્તરને કારણે મધ્યપ્રદેશના 10 હજારની વસ્તી ધરાવતા નિસરપુર કસબાના ડૂબવાનો ખતરો ઝળુંબવા લાગ્યો છે. મધ્યપ્રદેશમાં નર્મદા નદીની નજીકના વૃક્ષો અને મકાનો ડૂબવા લાગ્યા છે. ધાર જિલ્લામાં 10 હજારની વસ્તીવાળા નિસરપુર ગામમાં પાણી ઝડપથી વધી રહ્યું છે, તેના કારણે લોકો પલાયન કરવા માટે લાચાર છે. અત્યાર […]

ભ્રષ્ટાચારના આરોપમાં CBICના 22 વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત કરાયા રિટાયર

કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઈસી)એ સોમવારે વધુ 22 વરિષ્ઠ અધિકારીઓને ભ્રષ્ટાચાર અને અન્ય આરોપોને કારણે ફરિયાતપણે રિટાયર કરી દીધા છે. આ અધિકારીઓ પર જાહેરહિતમાં મૂળભૂત નિયમ 56(જે) હેઠળ ફરજિયાત રિટાયર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. એનએનઆઈ પ્રમાણે, આ અધિકારી અધિક્ષક/એઓ રેન્કાના છે. આના પહેલા સરકારે સીબીઆઈસીના 15 વરિષ્ઠ અદિકારીઓને ફરજિયાત રિટાયર કર્યા […]

જમ્મુ-કાશ્મીરમાં 2021 પહેલા વિધાનસભા ચૂંટણીની સંભાવનાઓ ઓછી

કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલી વિધાનસભા ચૂંટણી 2021માં થવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયા બાદ એટલે કે તેના પુનર્ગઠન બાદ વિધાનસભા ક્ષેત્રોનું નવેસરથી સીમાંકન કરવામાં આવશે. નવા પુનર્ગઠન પંચના રિપોર્ટના આવવામાં આઠથી બાર માસ લાગશે. એટલે કે આગામી વર્ષે નવેમ્બર સુધીમાં રિપોર્ટ આવી જશે. આ દરમિયાન શિયાળો શરૂ થતા હિમવર્ષાની શક્યતાઓ રહેશે. તેવામાં […]

370ને હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. જસ્ટિસ એન. વી. રમન્નાએ ક્હ્યુ છે કે અમે આ મામલાની તાત્કાલિક સુનાવણી કરશુ નહીં. તો અરજદાર એમ. એલ. શર્માના વકીલ બિમલ જૈદે અરજીની નકલ નહીં આપવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે […]

“પાકિસ્તાન પ્રેમ” દેખાડનારી ભારત વિરોધી લાગણી ધરાવતી લેખિકા અરુંધતિ રૉયની સોશયલ મીડિયા પર ઝાટકણી

લેખિકા અરુંધતિ રોય મોટાભાગે પોતાના વિવાદીત અને ભારત વિરોધી નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. અરુંધતિ રોય ફરીથી પોતાના એક નિવેદનને કારણે સોશયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. અરુંધતિ રોયે પોતાના તાજેતરના એક નિવેદનમાં દાવો કર્યો છે કે પાકિસ્તાની સરકારે ક્યારેય પોતાના દેશની જનતાની વિરુદ્ધ સેનાનો ઉપયોગ કર્યો નથી. પરંતુ ભારત કાશ્મીરમાં આમ કરી રહ્યું […]

આતંકી હાફીઝ સઈદ સાથે ઈમરાન ખાનના લાહોરમાં પોસ્ટરો લાગ્યાઃ આતંકી એજન્ડાનો પર્દાફાશ

પાકિસ્તાનનાં મંત્રી ઇમરાન ખાન ભલે દુનિયાભરમાં ફરી ફરીને પોતાને અને પાકિસ્તાન સરકારને પાક સાફ ગણાવે અને ભારત વિરુદ્ધ અન્ય દેશોને ભડકાવે, પરંતુ હવે તો તેઓ સમગ્ર દુનિયા સામે ખુલ્લા પડી ગયા છે. મુંબઇ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદના બાજુમાં ઈમરાન ખાનના ફોટો વાળા પોસ્ટરો પાકિસ્તાનમાં લાગ્યા છે. પાકિસ્તાની પત્રકારોએ આ પોસ્ટરનો ફોટો સોશિયલ મીડિયા […]

આફ્ટર ટ્રાંસફોર્મેશન રામ કપુરે ન્યૂ લુકના ફોટોઝ શૅર કર્યા

એક્ટર રામ કપુર ફિલ્મ અને ટેલિવીઝનમાં કોઈની ઓળખના મોહતાઝ નથી, ‘કસમ સે’ અને ‘બડે અચ્છે લગતે હે’ થી ઘર ઘરમાં જાણીતા બનેલા રામ કપુરે બૉલિવૂડમાં પણ અનેક સ્ટાર્સ જોડે કામ કર્યું છે, તેઓ બૉલિવૂડના ઘણા પ્રોઝેક્ટ્સનો ભાગ રહી ચુક્યા છે. રામ કપુર પોતાના ટ્રાંન્સફોર્મેશનને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે, ત્યારે ફરી એકવાર તેમનો ન્યૂ લુક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code