hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: 370ના મામલે સરકારના નિર્ણયનું સમર્થન નહીં કરવા બદલ AIATFના ચેરમેન મનિંદરજીત બિટ્ટાએ TOIના પત્રકારની કાઢી ઝાટકણી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > 370ના મામલે સરકારના નિર્ણયનું સમર્થન નહીં કરવા બદલ AIATFના ચેરમેન મનિંદરજીત બિટ્ટાએ TOIના પત્રકારની કાઢી ઝાટકણી
revoinews

370ના મામલે સરકારના નિર્ણયનું સમર્થન નહીં કરવા બદલ AIATFના ચેરમેન મનિંદરજીત બિટ્ટાએ TOIના પત્રકારની કાઢી ઝાટકણી

Revoi
Last updated: August 26, 2019 3:32 pm
Revoi
Published: August 26, 2019
Share
SHARE

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદડ-370ને અસરહીન કરવાના નિર્ણયને મોટાભાગના કોંગ્રેસી નેતાઓએ ખોટું ગણાવતા તેના પર પોતાની અસંમતિ વ્યક્ત કરી છે. ત્યારે અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોરચા- એઆઈએટીએફના અધ્યક્ષ અને ભારતીય યૂથ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ મનિંદરજીતસિંહ બિટ્ટાએ પોતાના ફેસબુક હોમપેજ પર એક વીડિયો શેયર કરતા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકારને ઠપકો આપ્યો છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન કરવાના અને રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લડાખ બનાવવાના મોદી સરકારના પગલાનું સમર્થન નહીં કરવા બદલ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકારની આકરી ટીકા કરી છે.

બિટ્ટાએ પોતાના પોસ્ટનું કેપ્શન લખ્યુ છે કે હજીપણ દેશમાં ઘણાં દેશદ્રોહી છે. જેમને અનુચ્છેદ-370 હટાવવાથી પરેશાની છે. આ વીડિયોમાં એમ. એસ. બિટ્ટાને પીએમ મોદીના આ નિર્ણયને સાહસિક ગણાવતા તેમની પ્રશંસા કરતા જોઈ શકાય છે. એમ. એસ. બિટ્ટા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકારને ધિક્કારતા કહી રહ્યા છે કે તમે કેવા પત્રકાર છો? પીએમ મોદીએ આટલું મોટું કામ કરી દીધું, તમારા લોકો પર શું અસર નથી? તમે હિંદુસ્તાની છો? શું તમે એક ભારતીય છો? ભારતીય હોવાનો ગર્વ છે? તો જે નરેન્દ્ર મોદીએ કર્યું છે, તેને સેલ્યૂટ કરો ને. પત્રકારત્વની વાત કરો નહીં. રાષ્ટ્રની વાત કરો. જો તમને નરેન્દ્ર મોદીનું કામ દેખાતું નથી, તો તમે હિંદુસ્તાની છો જ નહીં.

https://www.facebook.com/msbittaaiatf/videos/1257832904340764/

મહત્વપૂર્ણ છે કે બિટ્ટાએ આના પહેલા અનુચ્છેદ-35એ અને 370ને સમાપ્ત કરવા બદલ સંસદમાં વોટ આપવાનું આહ્વાન કરતા કહ્યુ હતુ કે સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને સરકારે એ જાણવા માટે મતદાન કરાવવું જોઈએ કે બંધારણના અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35-એને કોણ-કોણ રદ્દ કરવા ચાહે છે. આનાથી રાષ્ટ્રના રાષ્ટ્રવાદીઓ અને ગદ્દારોના સંદર્ભે ખબર પડી જશે.

બિટ્ટાએ પીએમ મોદી પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે વડાપ્રધાન ઝડપથી કાશ્મીરમાંથી આતંકવાદને સમાપ્ત કરી દેશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિદેશમાં બેઠેલા મુઠ્ઠીભર લોકો, પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ દ્વારા ફંડિંગ મેળવે છે. જે કાશ્મીરને બદનામ કરી રહ્યા છે અને સ્થાનિક વ્યવસાયોને નુકસાન પહોંચાડી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે 7 જુલાઈ-1992ના રોજ પંજાબના અમૃતસર શહેરમાં એક બોમ્બ વિસ્ફોટમાં બિટ્ટાએ પોતાનો એક પગ ગુમાવ્યો હતો. આ વિસ્ફોટમાં 13 લોકોના મોત નીપજ્યા હતા. તેના સિવાય ભારતીય યૂથ કોંગ્રેસના અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં 11 સપ્ટેમ્બર-1993ના રોજ ઓફિસના પરિસરમાં થયેલા ઘાતક હુમલાના શિકારનો ભોગ બનવાથી પણ તેવો બચી ગયા હતા. આ હુમલામાં નવ લોકોના મોત નીપજ્યા હતા અને અન્ય 36 લોકો ઘાયલ થયા હતા. બિટ્ટાએ 2013માં દિલ્હીમાં કોંગ્રેસની સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા તત્કાલિન મુખ્યપ્રધાન શીલા દિક્ષિત પર પોતાની સુરક્ષા લઈ લેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે આતંકવાદીઓના હિટલિસ્ટમાં હોવા છતાં તેમની પાર્ટીએ તેમને મરવા માટે છોડી દીધા.

You Might Also Like

Coronavirus: AstraZeneca to release more data on jab trials in US
શાનદાર અભિનયથી દરેક પાત્રને ન્યાય આપતા દર્શકોના દિલ જીતનારા અજય દેવગનનો આજે જન્મદિવસ
SAARC Diary: Work begins on the Restoration of Seto Machindranath Temple
मलेशिया पहुंचे PM मोदी : कुआलालंपुर एयरपोर्ट पर प्रधानमंत्री अनवर इब्राहिम ने किया भव्य स्वागत
UDAN Flight Launched on Belgaum – Surat – Kishangarh Route
TAGGED:370AIATFKashmirMANJINDERSINGH BITTAMpm modiTOI
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयदेश-विदेशमहत्वपूर्ण कहानियांहिन्दी

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

August 8, 2026

थाईलैंड : 9वीं कक्षा के छात्र ने पहले दादा-दादी की हत्या की, फिर स्कूल पहुंचकर 5 शिक्षकों को उतारा मौत के घाट

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

शेयर बाजार में गिरावट के साथ कारोबारी सप्ताह का समापन, सेंसेक्स 456 अंक टूटा, निफ्टी 65 अंक कमजोर

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?