1. Home
  2. revoinews
  3. લોકડાઉન બાદ યૂપી અને પંજાબમાં આજથી શાળાઓ ખુલશે – નિયમોનું કરવું પડશે પાલન
લોકડાઉન  બાદ યૂપી અને પંજાબમાં આજથી શાળાઓ ખુલશે – નિયમોનું કરવું પડશે પાલન

લોકડાઉન બાદ યૂપી અને પંજાબમાં આજથી શાળાઓ ખુલશે – નિયમોનું કરવું પડશે પાલન

0
Social Share
  •  આજથી યૂપી અને પંજાબમાં શાળાઓ ખુલશે
  • માતા-પિતાની લેખિત પરવાનગી જરુરી રહેશે
  • નિયમોનું કરવું પડશે પાલન

સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, કોરોનાના કેસમાં વધારો પણ જોવા મળી રહ્યો છે પરંતુ હવે તેનો રિકવરી રેટ પણ વધ્યો છે, ત્યારે છેલ્લા 7 મહિનાના સમયગાળા બાદ આજથી ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ફરીથી સ્કુલો શરુ થવા જઈ રહી છે,જો કે તમામ લોકોએ કોરોના ગાઈડલાઈનનું સખ્તીથી પાલન કરવાનું રહેશે.

કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવાના નિર્ણય લેવાયો હતો, ત્યાર બાદ તબક્કાવાર અનલોકની પ્રક્રિયા શરુ કરવામાં આવી જેમાં કેન્દ્ર સરકાર તરફથી અનલોક 5 માં સ્કુલો ખોલવા અંગેનો પણ નિર્ણય લેવાયો હતો , 15 ઓક્ટોબરથી શાળઓ ખુલવાની હતી તેના બદલે આજથી એટલે કે 19 ક્ટોબરથી ખુલી રહી છે,

આજથી ઉત્તર પ્રદેશ, સિક્કિમ અને પંજાબમાં સ્કુલ ખુલશે જેને લઈને ગાઈડલાઈન પણ રજુ કરવામાં આવી છે,કોરોનાના કારણે તમામે ખાસ સાવચેતી દાખવવી જરુરી રહેશે, પંજાબમાં ઘોરણ 9 થી 12 સુઘી ક્લાસ ખોલવામાં આવશે

 આ સાથે જ ઉત્તર પ્રદેશમાં પણ આજથી શાળાઓ ખોલવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને 7 મહિના સુધી શાળાઓ બંધ રાખ્યા બાદ  હવે 9 થી 12 ના વર્ગના વિદ્યાર્થીઓ માટે  શાળાઓ ખોલવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં ફક્ત માતાપિતાની પરવાનગીથી જ બાળકો શાળાએ આવી શકશે. આ ઉપરાંત સિક્કિમની શાળાઓ પણ આજથી ખોલવામાં આવશે. સિક્કિમમાં વર્તમાન શૈક્ષણિક સત્ર ફેબ્રુઆરી સુધીમાં સમાપ્ત કરવાની યોજના છે.

 આ બાબતોનું ખાસ રાખવું પડશે ધ્યાન

  • ફર્નિચર, સ્ટેશનરી , કેન્ટિન, લેબ સહીત સમગ્ર વર્ગખંડને રોજે રોજ સેનિટાઈઝ કરવો પડશે
  • એક વર્ગખંડમાં માત્ર 50 ટકા જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે
  • બીજા દિવસે બાકીને 50 ટકા બાળકોને અભ્યાસ કરાવાશે
  • તમામ વિદ્યાર્થીઓ એ 6 ફૂટના અંતરે બેસવાનું રેહેશે
  • આ સાથે જ તમામ બાળકો માતા પિતાની પરવાનગી લેખિતમાં હોવા સાથે જ શાળામાં આવી શકશે.
  • સામાજિક અંતર જાળવવા બાબતે કાળજી લેવામાં આવશે.
  • માતા-પિતા બાળકને જાતે શાળાએ લાવે અને લઈ જાય તે બાબતે ધ્યાન અપાશે
  •  બાળકને ગણવેશમાં ફૂલ સ્લીવ શર્ટ, ફૂલ પેન્ટ અને શૂઝ અને મોજાં પહેરવા પડશે.
  • માર્ગદર્શિકાનું પાલન કરવું ખૂબ ફરજિયાત રહેશે.
  • વર્ગખંડમાં માસ્ક કાઢવાની પરવાનગી આપવામાં નહી આવે

કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી રજુ કરવામાં આવેલ માર્ગદર્શિકામાં એવું કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને શાળાઓમાં આવવા માટે કોઈ પણ પ્રકારનું દબાણ નહીં કરવામાં આવે. વિદ્યાર્થીઓએ સ્કુલ આવવા માટે વાલીઓની લેખિત પરવાનગીને જ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવશે.

સાહીન-

સાહીન-

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code