1. Home
  2. revoinews
  3. સુશાંત સિંહ રાજપૂતની બહેને કહ્યું, લોકોના સાથ-સહકાર અને પ્રેમ માટે આભાર
સુશાંત સિંહ રાજપૂતની બહેને કહ્યું, લોકોના સાથ-સહકાર અને પ્રેમ માટે આભાર

સુશાંત સિંહ રાજપૂતની બહેને કહ્યું, લોકોના સાથ-સહકાર અને પ્રેમ માટે આભાર

0
Social Share

ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂતને ન્યાય મળે તે માટે નેતા, સુશાંતસિંહ રાજપૂતના ચાહકો અને પરિવાર પણ માગ કરી રહ્યો છે. લોકોની સુશાંત સિંહ પ્રત્યેની લાગણી જોઈને સુશાંતસિંહની બહેને લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. કરોડો લોકોની માગ છે કે સુશાંત સિંહને ન્યાય મળે. સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ગ્લોબલ પ્રેયર મીટનું આયોજન કર્યું હતું, જેમાં દુનિયાભરના લાખો લોકોએ ભાગ લીધો હતો. તેણે સુશાંત માટે પ્રાર્થના કરી અને હાથ જોડીને પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો. શ્વેતાએ સૌનો આભાર વ્યક્ત કર્યો છે.

સુશાંતની બહેને ટ્વિટ કરીને લખ્યું કે, સુશાંતની પ્રાર્થના માટે દુનિયાભરમાંથી એક મિલિયનથી વધુ લોકો જોડાયા. આ એક આધ્યાત્મિક ક્રાંતિ છે અને તે દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહી છે, આપણી પ્રાર્થનાઓ નિરર્થક નહીં જાય. શ્વેતા સિંહ કીર્તિએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જે સુશાંતની પ્રાર્થના સભાનો હતો. તેમાં પરિવારના તમામ સભ્યો મહામૃત્યુંજયનો જાપ કરતા જોવા મળે છે.

સુશાંતની બહેને લોકોને અપીલ કરતા કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર હાથ જોડીને પોતાનો ફોટો શેર કરે અને સુશાંત માટે ન્યાયની માંગ કરે..

મહત્વનું છે કે સુશાંતસિંહ રાજપૂતની હત્યા થઈ છે કે આત્મહત્યા તેના વિશે પોલીસ તપાસ કરી રહી છે અને હજુ સુધી તે બાબતે કોઈ પાક્કો પુરાવો સામે આવ્યો નથી. સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ અનેક લોકોના મનમાં અનેક પ્રકારના સવાલ ઉભા થઈ રહ્યા છે જેમાં કેટલાક લોકો દ્વારા આને આત્મહત્યા નહીં પણ હત્યાની નજરેથી જોવામાં આવી રહ્યું છે.

_Devanshi

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code