![પ્રણવ મુખર્જીને મળ્યા નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિએ વડાપ્રધાનને મિઠાઇ ખવડાવી](https://hindi.revoi.in/wp-content/uploads/2019/05/PM-Modi-met-Pranab.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તેમના નિવાસસ્થાન પર મુલાકાત કરી. મુખર્જીએ મિઠાઈ ખવડાવીને મોદીને જીત માટે અભિનંદન આપ્યા. તાજેતરમાં જ મોદી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના પણ આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. બંને નેતાઓએ મોદીને જીતના અભિનંદન આપ્યા હતા.
Meeting Pranab Da is always an enriching experience. His knowledge and insights are unparalleled. He is a statesman who has made an indelible contribution to our nation.
— Narendra Modi (@narendramodi) May 28, 2019
Sought his blessings during our meeting today. pic.twitter.com/dxFj6NPNd5
મોદીએ ટ્વિટ કર્યું, ‘પ્રણવદાને મળવું મારા માટે હંમેશાં એક સારો અનુભવ રહે છે. તેમના જ્ઞાન અને અંતર્દ્રષ્ટિની કોઈની સાથે તુલના ન થઈ શકે. તેઓ એક સ્ટેટ્સમેન છે. દેશ માટે તેમના યોગદાનને ભૂલી ન શકાય. આજે તેમને મળીને આશીર્વાદ લીધા.’
ઉલ્લેખનીય છે કે મોદીએ 30 મેની સાંજે 7 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાનપદના શપથ લેશે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓને પણ શપથ અપાવવામાં આવશે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે બિમસ્ટેક દેશોને પણ નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.