1. Home
  2. revoinews
  3. વડોદરામાં નિર્માણધીન ઈમારત ધરાશાયી, 3ના મોત
વડોદરામાં નિર્માણધીન ઈમારત ધરાશાયી, 3ના મોત

વડોદરામાં નિર્માણધીન ઈમારત ધરાશાયી, 3ના મોત

0
Social Share

અમદાવાદઃ મધ્ય ગુજરાતના વડોદરામાં બાવામાનપુરા વિસ્તારમાં નિર્માણધીન ઈમારત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં એક મહિલા સહિત 3 શ્રમજીવીઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાટમાળ નીચે દબાયેલા અન્ય શ્રમજીવીઓને બચાવવાની કામગીરી આરંભી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના બાવામાનપુરા વિસ્તારમાં 3 માળની ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું છે. રાત્રિના સમયે શ્રમજીવીઓ સૂઈ ગયા હતા. દરમિયાન નિર્માણધીન ઈમારત અચાનક ધરાશાયી થઈ હતી. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ ઈમારતમાં ચારેક વ્યક્તિઓ સૂઈ ગયા હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ બનાવમાં એક મહિલા સહિત 3 શ્રમજીવીઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે એક યુવાનને જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યાં મુજબ, આ ઈમારત પહેલેથી એક બાજુ નમેલી હતી. લોકોએ તેની ફરિયાદ પણ કરી હતી પરંતુ છતાં કોઈ કાર્યવાહી થઈ નહીં હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.  સોમવારે મોડી રાતે ઈમારત તૂટી પડવાથી 3 મજૂરોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો.

ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાની ઘટનાને પગલે આસપાસના સ્થાનિકો પણ મોટી સંખ્યામાં બનાવ સ્થળ પર એકત્ર થઈ ગયા હતા.તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code