1. Home
  2. revoinews
  3. કાશ્મીરમાં અંસાર ગજવાત ઉલ હિંદના બે આતંકીઓ ઠાર, શોપિયાંમાં સુરક્ષાદળોની કાર્યવાહી
કાશ્મીરમાં અંસાર ગજવાત ઉલ હિંદના બે આતંકીઓ ઠાર, શોપિયાંમાં સુરક્ષાદળોની કાર્યવાહી

કાશ્મીરમાં અંસાર ગજવાત ઉલ હિંદના બે આતંકીઓ ઠાર, શોપિયાંમાં સુરક્ષાદળોની કાર્યવાહી

0
Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો સતત આતંકવાદીઓના ખાત્માના મિશનમાં લાગેલા છે. આ અભિયાન પ્રમાણે સુરક્ષાદળોને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે.

જમ્મુ-કાસ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળોએ અંસાર ગજવાત ઉલ હિંદના બે આતંકીઓને ઠાર કર્યા છે.

કાશ્મીરના આઈજીપી એસ. પી. પાનીએ કહ્યુ છે કે માર્યા ગયેલા બંને આતંકીઓની લાશો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે. ઓપરેશનમાં કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી. ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે ઠાર થનારા બંને આતંકીઓની ઓળખ શાકિર વાગે અને સૈયાર અહમદ તરીકે કરવામાં આવી છે.

જાણકારી પ્રમાણે, સવારે સુરક્ષાદળોને શોપિયાંના અવનીરામાં કેટલાક આતંકવાદીઓના છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. તેના પછી સુરક્ષાદળોએ પોલીસની સાથે મળીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષાદળોને આવતા જોઈને છૂપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર સરૂ કર્યો હતો.

આતંકવાદીઓ સામે સુરક્ષાદળન જવાનોએ પણ વળતી કાર્યવાહીમાં તાબડતોબ ફાયરિંગ કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો. સુરક્ષાદળોને ઓપરેશનમાં બે આતંકીઓનો ખાત્મો કરવામાં સફળતા મળી હતી. આ બંને આતંકીઓ લાંબા સમયથી સુરક્ષાદળોના રડાર પર હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code