1. Home
  2. revoinews
  3. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સીઆરપીએફની પાર્ટી પર આતંકીઓએ કર્યો હુમલો
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સીઆરપીએફની પાર્ટી પર આતંકીઓએ કર્યો હુમલો

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સીઆરપીએફની પાર્ટી પર આતંકીઓએ કર્યો હુમલો

0
Social Share
  • શ્રીનગરમાં સીઆરપીએફની પાર્ટીને આતંકીઓએ નિશાન બનાવી
  • આતંકીઓએ પાર્ટી પર હુમલો કર્યો
  • સમગ્ર વનિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી
  • આતંકીઓની શોધખોળ શરું

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ દ્વારા પોતોના નાપાક ઈરાદાઓને અજામ પવામાં આવી રહ્યા છે,સેનાની સખ્તી તથા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ આતંકીઓએ લોકોનું જીવવાનું મુશ્કેલ કર્યુ છે,છેલ્લા કેટચલાક મહિનામાં સેનાએ કેટલાક આતંકીઓને ઢેર કર્યા છે તો કેટલાક આતંકીઓને ઝડપી પાડ્યા છેે. ત્યારે આજે ફરી એકવાર સોમવારના રોજ શ્રીનગર જીલ્લાના નૌગાવમાં સીઆરપીએફની પાર્ટી પર કસંદિગ્ઘ આતંકીઓ દ્વારા હુલમો કરવાની ઘખટના બનવા પામી છે.

આઈજી કશ્મનીર એ આ બાબતે જણાવ્યું હતું કે, કેટલાક આતંકીઓએ 110 બીએનની સીઆરપીએફ પાર્ટી પર દુરના અતંરથી ફઆયરિંગ શરુ કર્યું હતું અને થોડી જ વારમાં આ આતંકીઓ પલાયન થવામાં સફળ નિવડ્યા હતા જો કે આ ઘટનામાં કોઈને જાનહાની થવા પામી નથી.

આતંકીઓ દ્રારા કરવામાં આવેલા હુમલા બાદ આ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દેવામાં આવી છે,એ સાથે જ આતંકીઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છો. હાલ અંહી સુરક્ષા દળો દ્વારા કાર્યવાહી શરુ છે.

સાહીન-

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code