1. Home
  2. revoinews
  3. તમિલનાડુમાં લશ્કરના 6 આતંકીની ધૂસપેઠ,એલર્ટ પછી ચેન્નઈમાં સુરક્ષા વધારાઈ
તમિલનાડુમાં લશ્કરના 6 આતંકીની ધૂસપેઠ,એલર્ટ પછી ચેન્નઈમાં સુરક્ષા વધારાઈ

તમિલનાડુમાં લશ્કરના 6 આતંકીની ધૂસપેઠ,એલર્ટ પછી ચેન્નઈમાં સુરક્ષા વધારાઈ

0
Social Share

કાશ્મીરમાં જ્યારથી કલમ 370ને મોદી સરકારે હટાવી છે ત્યારથી જ પાકિસ્તાન અવનવા પેતરા અજમાવી રહ્યું છે,પાકિસ્તાન કોઈ પણ રીતે ભારતદેશની જનતાની શાંતિને ખંડીત કરવાના રસ્તાઓ શોધતી રહે છે, પણ તે વાત અલગ છે કે પાકિસ્તાનને તેમાં સફળતા મળતી નથી ત્યારે પાકિસ્તાનના આંતકવાદી સંગઠનો પણ ભારત પર રોષે ભરાયા છે અને હુમલાના ફીરાકમાં છે.

ત્યારે મળતી માહિતી મુજબ લશ્કર-એ-તૈયબાના 6 આતંકીઓએ તામિલનાડુમાં ઘૂસપેઠ કરી છે. સુરક્ષા એજન્સીઓએ એલર્ટની સુચના આપતા કહ્યું હતું કે તમામ આતંકવાદીઓ શ્રીલંકાના રસ્તો દ્રારા પ્રવેશ્યા છે. આ આતંકીઓમાં એક પાકિસ્તાની નાગરિક અને 5 શ્રીલંકાના તમિલ છે. આ જાહેર કરવામાં આવેલી ચેતવણી બાદ ચેન્નઈ સહિત અનેક જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચેન્નાઇના પોલીસ કમિશનરે કહ્યું કે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ દરમિયાન ભારતીય નૌસેએ તેના તમામ પાયા અને યુદ્ધ જહાજોને મોટી જોહેર ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે કલમ- 37૦ પર સરકારના નિર્ણય પછી, સુરક્ષા એજન્સીઓનો એક અહેવાલ બહાર આવ્યો છે કે પાકિસ્તાન સમર્થિત આતંકીઓ હુમલો કરી શકે છે અને ભારતની શાંતિ ડખઓળવાના પ્રયત્નો કરી શકે છે.

ત્યારથી, નૌસેનાએ તમામ પાયાને ઉચ્ચ ચેતવણી પર રાખ્યા છે. તેમજ દરિયાઇ માર્ગો પર નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 0 37૦ હટાવ્યા બાદ પાકિસ્તાન સરકાર પણ નારાજ થઈ ગઈ છે.

જમ્મુ-કાશ્મીરના મોદી સરકારના 370 કલમ હટાવવાના નિર્મય બાદ માત્ર પાકિસ્તાન સરકાર જ નહીં, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો પણ બોખલાય ગયા છે,સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ સુરક્ષા દળો પર મોટો હુમલો કરી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે હવે જવનોની સુરક્ષા અને જનતાની સ્થિતીને ધ્યાનમાં લઈને ચેન્નઈમાં સુરક્ષાના પ્રમાણમાં વધારો કરવામાં આવ્યો છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code