1. Home
  2. revoinews
  3. PM મોદીનું ગીરનાર પર રોપ-વેનું સ્વપ્ન થયું સાકાર, પ્રોજેક્ટ પૂર્ણતાના આરે
PM મોદીનું ગીરનાર પર રોપ-વેનું સ્વપ્ન થયું સાકાર, પ્રોજેક્ટ પૂર્ણતાના આરે

PM મોદીનું ગીરનાર પર રોપ-વેનું સ્વપ્ન થયું સાકાર, પ્રોજેક્ટ પૂર્ણતાના આરે

0
Social Share
  • પીએમ મોદીનું ગીરનાર પર રોપ-વેનું સ્વપ્ન થયું સાકાર
  • ગીરના પર રોપ-વેનો ડ્રીમ પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે
  • PM મોદી જ પ્રોજેક્ટની શરૂઆત કરે તેવી સંભાવના

વડાપ્રધાન મોદીનો ગીરનાર પર રોપ-વેનો ડ્રીમ પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે છે. તત્કાલિકન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલું સ્વપ્ન પીએમ મોદીના શાસનમાં સાકાર થવા જઇ રહ્યું હોવાથી તેઓ આ પ્રોજેક્ટની શરૂઆત કરાવે તેવી શક્યતા છે. વર્તમાન સમયમાં ગીરનાર રોપ-વેની કામગીરી અંતિમ તબક્કામાં છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, તાજેતરમાં જ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ગીરનાર રોપ-વે પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જૂનાગઢ રોપ-વે પર્વતની જટિલતાના કારણે એન્જિનિયરિંગ ક્ષેત્રે ચમત્કાર ગણાશે.

અગાઉ કોંગ્રેસના શાસન દરમિયાન યુપીએ સરકાર દ્વારા પર્યાવરણના કારણો આગળ ધરીને આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી નહોતી અને ગીરનાર પર્વતનો કેટલોક ભાગ જટિલ હોવાથી ત્યાં એન્જિનિયરિંગમાં પણ પડકારો હતો.

જો કે કેન્દ્રમાં નવી સરકારની રચના થતા ગીરનાર રોપ-વે પ્રોજેક્ટ માટે નવો રૂટ અને રોડમેપ તૈયાર કરવામાં આવ્યા હતા. આ બાદ પ્રોજેક્ટ માટેનો માર્ગ મોકળો થયો હતો. જાણીતી કંપનીને કામગીરી સોંપવામાં આવી હતી. તેના પરિણામ સ્વરૂપ જે લોકો પગપાળા ગીરનાર નથી જઇ શકતા તે રોપ-વે મારફતે મા અંબાજીના દર્શન કરી શકશે.

(સંકેત)

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code