1. Home
  2. revoinews
  3. મુઝફ્ફરનગર હુલ્લડ કેસ: સાક્ષીઓ ફરી જતા કોર્ટે 12 આરોપીને બરી કર્યા
મુઝફ્ફરનગર હુલ્લડ કેસ: સાક્ષીઓ ફરી જતા કોર્ટે 12 આરોપીને બરી કર્યા

મુઝફ્ફરનગર હુલ્લડ કેસ: સાક્ષીઓ ફરી જતા કોર્ટે 12 આરોપીને બરી કર્યા

0
Social Share

યુપીના મુઝફ્ફરનગર જિલ્લામાં 2013માં થયેલા હુલ્લડોના મામલામાં એક સ્થાનિક અદાલતે પુરાવાના અભાવમાં 12 આરોપીઓને બરી કર્યા છે. તમામ આરોપીઓ પર આઈપીસીની કલમ-395 (લૂંટ) અને 436 (આગચંપી)ના મામલા નોંધાયેલા હતા.

મુઝફ્ફરનગરના અધિક સત્ર ન્યાયાધીશ સંજીવકુમાર તિવારીએ મંગળવારે હુલ્લડોના મામલાની સુનાવણી કરતા 12 આરોપીઓને બરી કર્યા છે. એસઆઈટીએ આ મામલામાં 13 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

આ મામલાના લંબિત રહેવા દરમિયાન એક આરોપીનું મોત નીપજ્યું હતું. કોર્ટે સુનાવણી દરમિયાન ફરિયાદી મોહમ્મદ સુલેમાન સહીત ત્રણ સાક્ષીઓ ફરી ગયા હતા અને તેમણે ફરિયાદી પક્ષનો સાથ આપ્ય ન હતો. આ મામલામાં રાહત મેળવનારા આરોપીઓ પર આરોપ હતો કે 7 સપ્ટેમ્બર-2013ના રોજ મુઝફ્ફરનગર જિલ્લાના લિસાઢ ગામમાં હુલ્લડો દરમિયાન ભીડે ઘણાં મકાનોમાં આગચંપી કરી અને લૂંટફાટની ઘટનાઓ પર કરી હતી.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code