hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટના પ્રણેતા “ફાધર ઓફ નેશન” ગાંધીબાપુની પ્રેરણાથી “ફાધર ઓફ ઈન્ડિયા” પીએમ મોદીની ક્લિન ઈન્ડિયા મૂવમેન્ટ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટના પ્રણેતા “ફાધર ઓફ નેશન” ગાંધીબાપુની પ્રેરણાથી “ફાધર ઓફ ઈન્ડિયા” પીએમ મોદીની ક્લિન ઈન્ડિયા મૂવમેન્ટ
revoinews

ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટના પ્રણેતા “ફાધર ઓફ નેશન” ગાંધીબાપુની પ્રેરણાથી “ફાધર ઓફ ઈન્ડિયા” પીએમ મોદીની ક્લિન ઈન્ડિયા મૂવમેન્ટ

Revoi
Last updated: September 26, 2019 2:24 pm
Revoi
Published: September 26, 2019
Share
SHARE
  • આનંદ શુક્લ

2 ઓક્ટોબરે ગાંધીજીની 150મી જન્મજયંતી

ક્લિન ઈન્ડિયા મૂવમેન્ટથી ગાંધીજીને શ્રદ્ધાંજલિ

પાંચ વર્ષમાં અંદાજે 11 કરોડ શૌચાલયોનના નિર્માણ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી આખો દેશ મનાવી રહ્યો છે. બાપુના સૂત્રો હતા ક્વિટ ઈન્ડિયા અને ક્લિન ઈન્ડિયા. અંગ્રેજોની સામે ક્વિટ ઈન્ડિયા આંદોલનની સફળતાથી ભારતને સ્વતંત્રતા મળી, પરંતુ ગાંધીજીનું ક્લિન ઈન્ડિયાનું સપનું અધુરું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના સપનાનું ભારત બનાવવા માટે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી અને બાપુની 150મી જયંતીએ આ સપનું સાકાર કરીને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે.

26 મે-2014ના રોજ પોતાની પ્રથમ ટર્મમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા હતા. વડાપ્રધાન કાર્યાલયમાં તેમણે પૂજ્ય ગાંધીબાપુની તસવીરને સ્થાપિત કરીને પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. 2 ઓક્ટોબર-2014ના રોજ ગાંધી જયંતી વખતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુના ક્લિન ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે આને દેશભક્તિની ભાવના સાથે જોડીને જોવું જોઈએ. એક ભારતીય નાગરીક હોવાને નાતે આ આપણી સામાજિક જવાબદારી છે કે આપણે 2019માં મહાત્મા ગાંધીની 150મી જયંતી ઉજવવા સુધી તેમના સ્વચ્છ ભારતના સ્વપ્નને પૂર્ણ કરીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં પણ દેશમાં શૌચાલયોના નિર્માણ થકી મહિલાઓને ઈજ્જત બક્ષવાના અભિયાનનું એલાન કર્યું હતું. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતા દેશમાં શૌચાલય નિર્માણ અને દેશને ખુલ્લામાં શૌચાલય મુક્ત બનાવવા માટેનો સંકલ્પ રજૂ કર્યો હતો.

ક્લિન ઈન્ડિયા મૂવમેન્ટ શા માટે?

વિશ્વ બેંકના એક અભ્યાસ પ્રમાણે, મુખ્તત્વે સ્વચ્છતાની ઉણપને કારણે ભારતમાં 40 ટકા બાળકોનો શારીરિક અને બૌદ્ધિક વિકાસ થઈ શકતો નથી. આપણી ભાવિ કાર્યશક્તિનો આટલો મોટો હિસ્સો પોતાની પૂર્ણ ઉત્પાદન ક્ષમતાને જ પ્રાપ્ત કરી શકતો નથી. આ આપણા માનવબળ માટે એક ગંભીર ખતરો છે. વર્લ્ડ બેંકના અનુમાન પ્રમાણે સ્વચ્છતાના અભાવથી ભારતને તેની જીડીપીના 6 ટકાનું નુકસાન થાય છે.

યુનિસેફના એક અભ્યાસ પ્રમાણે, ખુલ્લામાં શૌચથી મુક્ત ગામડાંમાં દરેક પરિવારે વર્ષમાં 50 હજાર રૂપિયા બચાવ્યા છે. આ બચત દવાઓ પર થનારા ખર્ચમાં આવેલા ઘટાડા તથા સમય અને જીવન બચાવવાથી પ્રાપ્ત થઈ છે. આમા એમ પણ જણાવવામાં આવ્યું છે કે સ્વચ્છતાથી થનારા પ્રતિ પરિવાર આર્થિક લાભ દશ વર્ષમાં સરકારી અને અન્ય સ્ત્રોતો દ્વારા કરવામાં આવેલા ખર્ચ તથા પરિવાર દ્વારા લગાવવામાં આવેલા નાણાંના 4.7 ગણો છે. સ્વચ્છ ભારત મિશન પર કેન્દ્ર અને રાજ્યોની સરકારો પાંચ વર્ષોમાં 20 અબજ ડોલર ખર્ચ કરવાની છે. સ્વચ્છ ભારત કોષ દ્વારા વિશેષ સફાઈ યોજનાઓ માટે 660 કરોડ રૂપિયાની રકમ એકઠી કરવામાં આવી છે અને તેને જારી પણ કરી દેવામાં આવી છે.

સફળતા-

ભારતમાં ગત પાંચ વર્ષમાં અંદાજે 11 કરોડ શૌચાલયોનના નિર્માણથી ગ્રામીણ સ્વચ્છતામાં સુધારાને કારણે બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. સ્વચ્છતા અભિયાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોશિશોએ એક જનાંદોલનનું સ્વરૂપ આપ્યું છે. તેનાથી ખુલ્લામાં શૌચ કરનારાઓની સંખ્યા ઘણી ઓછી થઈ છે. દેશની 68 ટકાથી વધારે વસ્તી પાસે હવે સુરક્ષિત શૌચની સુવિધા ઉપલબ્ધ છે. આ કોશિશો બદલ તાજેતરમાં ન્યૂયોર્ક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશને પ્રતિષ્ઠિત ગ્લોબલ ગોલકીપર્સ એવોર્ડથી સમ્માનિત કર્યા છે. માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે તેમને એવોર્ડ પ્રદાન કર્યો હતો.

ગુજરાતના પનોતા પુત્રે ક્વિટ ઈન્ડિયાથી અંગ્રેજી સલ્તનતે ઉખાડી ફેંકી, પણ તેમનું ક્લિન ઈન્ડિયાનું અધુરું સ્વપ્ન ગુજરાતના બીજા પનોતા પુત્રે 2014માં હાથ ધર્યું અને હવે તે પૂર્ણતા તરફ છે. ગાંધીજી કહેતા સ્વચ્છતા આદત બનવી જોઈએ. અમેરિકા મુલાકાત વખતે ગુલદસ્તામાંથી નીચે પડેલા ફૂલ ઉઠાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રશ્યો સૌએ જોયા હશે.

આ સિવાય કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતાની આદત ઉડીને આંખે વળગવાના ઉદાહરણો છે. જેમ કે પેપર નેપકીનને કોઈ જોવે નહીં તેવી રીતે ડસ્ટબિનની વ્યવસ્થા ન હોય, તો પોતાના ખિસ્સામાં મૂકીને તેમણે સ્વચ્છતાને આદત બનાવવાનો સંદેશ આપ્યો છે. સ્વચ્છ અને હરિત ભારતની આગામી કડીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિનું અભિયાન પણ હાથ ધરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્લિન ઈન્ડિયા મૂવમેન્ટ આગળ વધારીને બાપુના સપનાનું ભારત બનાવવા તરફ પગલા આગળ વધાર્યા છે.

You Might Also Like

Nepali conundrum: Pro-China Oli down, not out yet as NC to stake claim to form govt
Fire in a COVID Hospital in Odisha, No Casualty: Fire Brigade
India’s Covid-19 Tally, Marginal Dip in New Cases
Leadership Change in KKR, Dinesh Karthik Hands Over Captaincy to Eoin Morgan
ચારા કાંડ કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટમાં 3 સરકારી કર્મચારીઓ સહીત 16 દોષિત
TAGGED:clean india missiongandhijiquit indiaswachha bharat
Share This Article
Facebook Email Print
Popular News
Mayavati
उत्तरप्रदेशमहत्वपूर्ण कहानियांराजनीतिराज्यराष्ट्रीयहिन्दी

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

August 10, 2026

अमित शाह के समर्थन में NDA सांसदों का मार्च, राहुल गांधी से पूछा- झारखंड में छात्रों पर कार्रवाई का जवाब कौन देगा?

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

Har Ghar Tiranga: दिल्ली मेट्रो पर चढ़ा देशभक्ति का रंग, ‘हर घर तिरंगा’ थीम वाली खास मेट्रो शुरू

Ram Mandir: आचार्य इंद्रदेव मिश्र बने राम मंदिर के ‘व्यवस्था प्रमुख’, दिसंबर 2026 तक संभालेंगे जिम्मेदारी

राहुल गांधी का अमित शाह पर तीखा हमला : विपक्ष गृह मंत्री का कोई ‘सामान्य भाषण’ सुनने का इच्छुक नहीं

अमरनाथ यात्रा अनिश्चितकाल के लिए स्थगित:बालटाल एवं पहलगाम मार्गों पर ट्रैक क्षतिग्रस्त

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

Trump Iran Compensation: ट्रंप ने ईरान से मांगा मुआवजा, कहा- मिडिल ईस्ट में मौत और नुकसान की भरपाई करे तेहरान

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?