મોદી સરકારને આંચકો, ચાલુ નાણાંકીય વર્ષના બે માસમાં જ રાજકોષીય ખાદ્ય વધીને 52 ટકા થઈ

ચાલુ નાણાંકીય વર્ષ 2019-20ના પહેલા બે માસ એટલે કે એપ્રિલ અને મે માસમાં જ કેન્દ્રની મોદી સરકારની રાજકોષીય ખાદ્ય વર્ષના બજેટ અનુમાનના 52 ટકા સુધી પહોંચી ગઈ છે. કેગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, નિરપેક્ષપણે રાજકોષીય ખાદ્ય 366157 કરોડ રૂપિયા રહ્યા છે. આ પહેલાના નાણાંકીય વર્ષના સમયગાળામાં રાજકોષીય બજેટીય લક્ષ્યના 55.3 ટકા હતા. સરકારે ફેબ્રુઆરીમાં 2019-20 માટે વચગાળાના બજેટમાં રાજકોષીય ખાદ્ય 7.03 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.

સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં રાજકોષીય ખાદ્યને જીડીપીના 3. ટકા પર રાખવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે. તે ગત નાણાંકીય વર્ષ જેટલું છે. આંકડા પ્રમાણે, સરકારને મહેસૂલ પ્રાપ્તિ 2019-20ના એપ્રિલ-મે માસના બજેટીય અનુમાનના 7.3 ટકા રહ્યું હતું. એક વર્ષ પહેલા આ સમયગાળામાં મહેસૂલ પ્રાપ્તિ એટલી જ હતી.

જો કે મૂડી વ્યય તે અવધિના બજેટીય અનુમાનના માત્ર 1.2 ટકા રહી જે એક વર્ષ પહેલા આ સમયગાળા દરમિયાન 21.3 ટકા હતી. સરકારનો કુલ વ્યય એપ્રિલ-મે 2019ના સમયગાળા દરમિયાન 5.12 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું, જે બજેટીય અનુમાનના 18. ટકા છે. એક વર્ષ પહેલા આ સમયગાળામાં આ 19.4 ટકા હતું.

RELATED ARTICLES

Most Popular